રતાડીયાના વૃધ્ધ મહિલાની દુષ્કર્મ કર્યા બાદ શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા

રતાડીયાના વૃધ્ધ મહિલાની દુષ્કર્મ કર્યા બાદ શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા

બુધવારે રાત્રે મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામની સીમમાંથી રહસ્યમય સંજોગોમાં મળેલા વૃધ્ધ મહિલાના મૃતદેહની સનસનીખેજ ઘટનામાં મહિલા ઉપર દુષ્કર્મ કરાયા બાદ નિર્મમ હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ગુરૂવારે વહેલી સવારે બહોળી સંખ્યામાં સામાજિક આગેવાનો સ્થાનિકેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘસી આવ્યા હતા અને ભોગગ્રસ્તનું મોત કુદરતી સંજોગોમાં થયું હોવાની બાબતને નકારી હત્યા કરાઈ હોવાની આશંકા દર્શાવી હતી.

દુષ્કર્મ કરી તેનો શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા કરવામાં આવી
આ બનાવને પગલે મોડી સાંજ સુધી ચાલેલી પોસ્ટમોર્ટમ પ્રક્રિયા બાદ મહિલા સાથે દુષ્કર્મ કરી તેનો શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા કરાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત લોકોમાં માનવજાતિને શર્મસાર કરતી ઘટના બની હોવાની લાગણી ફેલાઈ હતી.સમગ્ર ઘટનાક્રમ મુજબ તારીખ 21/2 ની સવારે રતાડીયા ખાતે રહેતા 65 વર્ષના વૃધ્ધ મહિલા જશીબેન વંકાજી રબારી નજીક આવેલા ગુંદાલા ગામે રામદેવપીર બાબાના મંદિરે દર્શન જવા નીકળ્યા હતા.ત્યાંથી અંદાજિત 12.30 વાગ્યાના સુમારે પરત ફરી રતાડીયા ગેટ નજીક ત્રણ કિમી દૂર આવેલ સ્વગૃહે જવા બેઠા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow