નાગ પાંચમ પર સર્જાશે શુભ સંયોગ

નાગ પાંચમ પર સર્જાશે શુભ સંયોગ

નાગ પાંચમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પંચમી એટલે કે 04 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સાપની પૂજા કરવામાં આવે છે અને તેમને દૂધનો અભિષેક કરવામાં આવે છે. આ દિવસે શિવશંકરના ગળામાં આભૂષણો એટલે કે સાપની પૂજા કરવામાં આવે તો શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સમગ્ર દેશમાં નાગ પંચમીની પૂજા કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ તહેવારનું શું મહત્વ છે અને તેની પાછળનો ઈતિહાસ શું છે?

નાગપાંચમ તિથિ અને મુહૂર્ત:-
શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની પાંચમે 03 સપ્ટેમ્બરના રોજ રવિવારે રાત્રે 09:03 વાગ્યે નાગ પાંચમ શરૂ થશે અને 04 સપ્ટેમ્બર 2023ના રોજ રાત્રે 09:54 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિ અનુસાર નાગ પાંચમ આજે ઊજવવામાં આવશે. 04 સપ્ટેમ્બરના રોજ અશ્વિની નક્ષત્ર રહેશે, આ વર્ષે નાગ પાંચમના દિવસે આખો દિવસ સારું મુહૂર્ત છે, જેથી તમે આખા દિવસમાં ગમે ત્યારે પૂજા કરી શકો છો.

નાગપાંચમ ઉજવવા પાછળ એક દંતકથા છે. દંતકથા અનુસાર, મહાભારત યુદ્ધ પછી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા અને પોતે સ્વર્ગની યાત્રાએ નીકળ્યા હતા. પાંડવો પછી પૃથ્વી પર કલિયુગનું આગમન થયું હતું. રાજા પરીક્ષિતનું મૃત્યુ સાપ કરડવાથી થયું હતું. જ્યારે પરીક્ષિતનો પુત્ર જનમેજય મોટો થયો, ત્યારે તેમણે પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પૃથ્વી પરના તમામ સાપને મારી નાખવા માટે નાગદાહ યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં સમગ્ર પૃથ્વીના સાપ સળગવા લાગ્યા. જ્યારે આસ્તિક મુનિને આ વાતની જાણ થઈ તો તેઓ તરત જ રાજા જનમેજય પાસે પહોંચ્યા.

અસ્તિક મુનિએ રાજા જનમેજયને સમજાવીને આ યજ્ઞ બંધ કરાવ્યો હતો. જે દિવસે આ ઘટના બની તે દિવસે શ્રાવણ વદ પાંચમ હતી. અસ્તિક મુનિએ યજ્ઞની અગ્નિને ઠંડી કરવા માટે તેમાં દૂધથી અભિષેક કર્યો હતો. આ માન્યતાને કારણે નાગપાંચમ પર નાગદેવને દૂધ ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow