અફઘાનિસ્તાનમાં મહિલાઓને ઘરમાં કેદ કરવાના પ્રયાસ

અફઘાનિસ્તાનમાં મહિલાઓને ઘરમાં કેદ કરવાના પ્રયાસ

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનમાં મહિલાઓના અધિકારોનું બર્બરતાપૂર્વક દમન કરવામાં આવી રહ્યું છે. ગઇ સાલ ઓગસ્ટમાં તાલિબાને સત્તા હાંસલ કર્યા બાદ શિક્ષણ, નોકરીઓ અને તેમની અવરજવર પર પ્રતિબંધ લગાવીને મહિલાઓને ઘરોમાં કેદ કરવા માટે નિયમો બદલવાના શરૂ કરી દીધા છે.

નિયમો લાગુ કરવા માટે મૌલવીઓનો સહારો લીધો
દુનિયાને દેખાડવા માટે પોતાના નિયમો લાગુ કરવા માટે મૌલવીઓનો સહારો લીધો. તેમની સરકારી અને પ્રાઇવેટ નોકરીઓ પર પ્રતિબંધ લગાવી દીધો. આગળ વધતી મહિલાઓને રોકવા માટે તાલિબાન સુરક્ષાબળોએ તેમને ડરાવી, ધમકાવી, જેલમાં લઇ જવાથી લઇને અપહરણ સુધી કરવામાં આવે છે.

અફઘાનિસ્તાનની મહિલા અધિકાર કાર્યકર્તા ખદીજા અહમદીએ બતાવ્યું કે તાલિબાને મહિલાઓને જજ કે વકીલના પદ પર કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. સત્તા પર કબજો કર્યા પહેલાં અફઘાનિસ્તાનમાં લગભગ 300 મહિલા જજ હતી. તાલિબાને આ બધી મહિલા જજને દેશનિકાલ આપી દીધો.

હજારો પરિવાર પાકિસ્તાન, ઇરાન, તૂર્કી જઇ ચૂક્યા છે
ખદીજાના અનુસાર તાલિબાનનું વલણ મહિલાઓની સામાજિક સ્થિતિ અને મનોવૈજ્ઞાનિક રૂપે ગંભીર છે. તાલિબાન મહિલાઓને સેકન્ડ ક્લાસ નાગરિકના રૂપે સ્થાપિત કરમા માગે છે. વિશેષ રૂપે યુવા પુરુષો અને છોકરાને વર્ચસ્વવાદી અને મહિલાઓને ઘર અને પોતાના કામમાં ઉપયોગી વસ્તુ બનાવી દેવા ઇચ્છે છે.

પ્રતિબંધોને લીધે હજારો પરિવાર મહિલાઓને લઇને પાકિસ્તાન, ઇરાન અને તૂર્કી જેવા પડોશી દેશમાં જઇ ચૂક્યા છે. પાકિસ્તાન આ દેશોમાં ટોપ પર રહ્યું છે, જ્યાં હાલમાં મહિનાઓમાં મોટી સંખ્યામાં અફઘાની શરણાર્થી પહોંચ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ હવે અમેરિકામાં ભણી રહ્યા છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow