ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ધારાસભ્યો સાથે અમિત શાહની મોટી બેઠક, તાબડતોબ આપ્યા આ આદેશ, CM પણ હતા હાજર

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ધારાસભ્યો સાથે અમિત શાહની મોટી બેઠક, તાબડતોબ આપ્યા આ આદેશ, CM પણ હતા હાજર

કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્રના ધારાસભ્યો સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. અમિત શાહે બેઠકમાં ધારાસભ્યોને સૂચન કર્યું હતું અને ગાંધીનગરમાં પેન્ડિંગ પડેલા પ્રોજેક્ટ્સ પર કામગીરી શરૂ કરવા સૂચન પણ કર્યું હતું. તેમજ અમિત શાહે લોકસભાની ચૂંટણીને લઈ તમામ ધારાસભ્યોને કામ પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

વિકાસના કામો અંગે ધારાસભ્યો સાથે ચર્ચા કરાઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા અંતર્ગતના ધારાસભ્યોની અમિત શાહ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ધારાસભ્યો સાથે પ્રથમ બેઠક યોજી હતી. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધારાસભ્યોને સૂચનો કર્યા હતા. જેમાં ગૃહમંત્રીએ ગાંધીનગરના પેન્ડિંગ પ્રોજેક્ટો પ્રાથમિકતા આવરા સૂચન કરાયા હતા. ત્યારે બેઠકમાં ઘાટલોડિયાના ધારાસભ્ય, સાબરમતી, નારણપુરાના ધારાસભ્ય સાણંદ, વેજલપુર, કલોલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. વિકાસના કામો અને લોકોના પ્રશ્નોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

અમિત શાહના હસ્તે ગતરોજ માનવ ઉત્સવનો પ્રારંભ
આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને આ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. અમિત શાહના હસ્તે ગતરોજ માનવ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. 1 મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow