ખેરાલુથી અમિત શાહે કહ્યું- '1963થી ભૂમિપૂજન બાદ 2001 સુધી નર્મદાનો કેસ ગૂંચવાળી રાખ્યો, 2004માં નરેન્દ્રભાઈના રાજમાં નર્મદાની ઉંચાઈ વધારવાની પરમિશન મળી'

ખેરાલુથી અમિત શાહે કહ્યું- '1963થી ભૂમિપૂજન બાદ 2001 સુધી નર્મદાનો કેસ ગૂંચવાળી રાખ્યો, 2004માં નરેન્દ્રભાઈના રાજમાં નર્મદાની ઉંચાઈ વધારવાની પરમિશન મળી'

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઇ રહી છે. પહેલી નવેમ્બરે પહેલા તબક્કાનું અને પાંચમી નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન છે. ત્યારે ગુજરાતમાં પોતાની સરકાર બનાવવા તમામ રાજકીય પાર્ટીઓ ગામડે ગામડે સભાઓ ગજવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે ખેરાલુ, સાવલી, ભિલોડા અને અમદાવાદના નારણપુરામાં સભાને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ મોરબી અને અમરેલીમાં જાહેર સભાને સંબોધશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ મહેસાણા, ગાંધીનગર અને અમદવાદમાં જાહેરસભાને સંબોધશે.

રામ મંદિર માટે હજારો લોકોએ બલિદાન આપ્યુંઃ અમિત શાહ
ખેરાલુમાં જાહેર સભા સંબોધતા અમિત શાહે કહ્યું કે, 1963થી ભૂમિપૂજન બાદ 2001 સુધી નર્મદાનો કેસ ગૂંચવાળી રાખ્યો હતો. ત્યારે 2004માં નરેન્દ્રભાઈના રાજમાં નર્મદાની ઉંચાઈ વધારવાની પરમિશન મળી હતી. તેમજ કહ્યું કે, રામ મંદિર માટે હજારો લોકોએ બલિદાન આપ્યું, પણ કોંગ્રેસીયાઓએ તેને અટકાવી રાખ્યું હતું. વર્ષ 2002માં જે રમખાણો થયા એમને નરેન્દ્રભાઇએ એવો પાઠ ભણાવ્યો કે 2022 સુધી કોઇએ ઊંચુ માથું નથી કર્યું.

કોંગ્રેસના રાજમાં પાકિસ્તાનથી રોજ આલિયા-માલિયા ઘૂસી જતા હતાઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે કહ્યું કે, સૌથી વધારે પર કેપિટા દૂધ ઉત્પાદન કરવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ છે. નરેન્દ્રભાઇએ કૃષી ક્ષ્રેત્રે અને પશુપાલન ક્ષ્રેત્રે ગુજરાતનો વિકાસ કર્યો છે.
ભાજપની સરકારમાં પાકિસ્તાનને ફીણ આવી ગયા, ઘરમાં ઘૂસીને માર્યા હતા. કોંગ્રેસની સરકારમાં પાકિસ્તાનથી રોજ આલિયા-માલિયા ઘૂસી જતા હતા અને જવાનો શહિદ થતાં હતા.
સોનિયા, મનમોહને 11 નંબરે દેશને રાખ્યો હતો, નરેન્દ્રભાઇએ પાંચમાં નંબરે લાવ્યો, નરેન્દ્રભાઇએ દેશનું સન્માન દુનિયામાં વધાર્યું છે.

માત્ર રામ મંદિર નહીં કાશી વિશ્વનાથ કોરિડોર પણ બનાવ્યોઃ અમિતશાહ
500 વર્ષે પાવાગઢ પર નરેન્દ્રભાઇએ ધજા ચડાવી હતી. આ ઉપરાંત અંબાજી અને સોમનાથનું મંદિર પણ સુવર્ણ બનાવ્યું છે. માત્ર રામ મંદિર નહીં કાશી વિશ્વનાથ કોરિડોર પણ બનાવ્યો, 1 જાન્યુઆરી 2024ના દિવસે ગગનચૂંબી રામમંદિર અયોધ્યામાં તૈયાર થશે. તમે નરેન્દ્રભાઇને દિલ્હી મોકલ્યા તે તેમણે રામ મંદિરનું કામ કરા્યું​ છે.​​​​ રામ મંદિર માટે હજારો લોકોએ બલિદાન આપ્યું, પણ કોંગ્રેસીયાઓએ તેને અટકાવી રાખ્યું હતું. 2002માં જે રમખાણો થયા એમને નરેન્દ્રભાઇએ એવો પાઠ ભણાવ્યો કે 2022 સુધી કોઇએ ઊંચુ માથું નથી કર્યું.

રાહુલ ગાંધી ચૂંટણી ટાણે મીઠુ ભભરાવી રહ્યા છે, લાજવાને બદલે ગાજે છેઃ કેન્દ્રીય મંત્રી અમિતશાહ
વધુમાં જણાવ્યું કે, 40 ટકા વિસ્તાર ડાર્ક ઝોનમાં હતો અત્યારે ઝીરો ટકા છે. ઉત્તર ગુજરાતે પરિવર્તન ના કર્યું હોત તો રણમાં બદલાઈ ગયું હોત. નરેન્દ્રભાઇએ વડાપ્રધાન બન્યાબાદ ઉત્તર ગુજરાતને ન્યાલ કરી દીધું. રાહુલ ગાંધી ચૂંટણી ટાણે મીઠુ ભભરાવી રહ્યા છે, લાજવાને બદલે ગાજે છે. રાહુલબાબા પદયાત્રામાં મેધા પાટકરને લઇને નીકળ્યા છે. આ મેધા પાટકર એ છે જેણે ગુજરાતને પાણીથી વંચિત રાખવાનું કામ કર્યું હતું. 1963થી નર્મદાનું ભૂમિપૂજન થયું હતું, 2001 સુધી નર્મદાનો કેસ ગુચવાળી રાખ્યો હતો. વડાપ્રધાને પાણી ગામડે ગામડે પહોંચાડ્યું છે. તમારો એક મત 2022 માટે જ નહીં, પણ 2024 માટે પણ હશે. ટિકિટ એક હોય તો એકને જ મળે, આ વખતે સરદારભાઇને આપી છે, અજમલજીની જવાબદારી હું લવ છું, તમે ચિંતા ન કરતા.


પરશોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર
મોરબીમાં પરશોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, પહેલા ગુજરાતમાં પાણી માટે ટેન્કર મંગાવવા પડતા હતા. ગામ પ્રમાણે માંડ બે ત્રણ ટેન્કર પાસ થતા હતા. ભાજપની સરકાર આવતા ઘરે ઘરે નર્મદાના પાણી પહોંચાડ્યાં હતા. પહેલા વીજળીના કનેક્શન માટે પણ એવો ઠરાવ કરાયો હતો કે, જે બોર કરાવશે અને તેમાં પાણી આવશે તો કનેક્શન મળશે. કેમ કે પેલા 10 વર્ષે વીજળીનું કનેક્શન મળતું હતું. હવે ઘરે ઘરે વીજળી મળે છે. સ્કૂલ અમે બનાવી, હોસ્પિટલ અમે બનાવી, પૂલ અમે બનાવ્યાં છે 30 વર્ષથી અમારી સરકાર છે તો તમારા કામ કેવી રીતે બોલે છે. તમારૂ ગાંડા બાવળ વાવવાનું કામ બોલે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow