ખાતરની અછત વચ્ચે ગુજરાત સરકારનો દાવો, રવી સીઝન માટે કેન્દ્ર સરકારે જુઓ કેટલાં લાખ ટન યુરિયા મંજૂર કર્યું

ખાતરની અછત વચ્ચે ગુજરાત સરકારનો દાવો, રવી સીઝન માટે કેન્દ્ર સરકારે જુઓ કેટલાં લાખ ટન યુરિયા મંજૂર કર્યું

હાલ ખેડૂતો શિયાળું પાકની વાવણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના અમુક જગ્યાએ ખાતરની અછતને કારણે લાંબી લાઈનો જોવા મળી રહી છે તો ક્યાંક દુકાનો સામે ખાતર ન હોવાના બોર્ડ લાગ્યા છે. ત્યારે સરકારે ફરિવાર ખાતરને લઈને મોટો દાવો કર્યો અને કહ્યું છે કે ગુજરાતમાં યોગ્ય માત્રામાં જથ્થો ઉબલબ્ધ છે. ગુજરાતને છેલ્લા 15 દિવસમાં 1.45 લાખ ટુન યુરિયા ખાતર આપવામાં આવ્યું છે. તેમજ તે સિવાય કેન્દ્ર સરકાર ડિસેમ્બર મહિનામાં કુલ 2.71 લાખ ટન યુરિયા ખાતર મળવાનું છે અને કેન્દ્રએ રવિ સીઝન માટે ગુજરાત માટે કુલ 12.50 લાખ ટન યુરિયા મંજૂર કર્યું છે. આ સિવાય સરકારે જણાવ્યું કે, કંપનીઓ દરરોજ 5 થી 10 હજાર મેટ્રિક ટન જથ્થો સપ્લાય કરી રહી છે.

યુરિયા ખાતરને લઈને ખેડૂતોને મુશ્કેલી
બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની ખાતર લેવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે અમીરગઢ તાલુકો ખેતી અને પશુપાલન પર આધારીત છે. ત્યારે હાલમાં યુરિયા ખાતરની તંગીને લઈને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

હાલમાં રવિ પાકની સીઝનની વાવણી ચાલુ
બનાસકાંઠામાં ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારે હાલમાં ઘઉ, રાયડો અને એરંડાની સીઝન હાલમાં ચાલી રહી છે. ત્યારે ખેડૂતોને યુરિયા ખાતર માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow