અમેરિકામાં કાજુકતરી 2500 રૂપિયે કિલો

અમેરિકામાં કાજુકતરી 2500 રૂપિયે કિલો

ભારતથી હજારો કિલોમીટર દૂર અમેરિકામાં મહારાજા સ્વીટ્સ, પંજાબ સ્વીટ્સ, જયશ્રી સ્વીટ્સની દુકાનોની સજાવટ થઇ ચૂકી છે. અમેરિકાનાં તમામ મોટાં શહેરોમાં અત્યારે દિવાળીના તહેવારનો માહોલ જામ્યો છે. લોકો 3-3 કલાક સુધી ડ્રાઇવ કરીને આ દુકાનોમાંથી 1500-2500 રૂપિયા કિલો મીઠાઇની ખરીદી કરી રહ્યા છે.

તેઓ ખૂબ લોકપ્રિય અને ઑનલાઇન ઉપલબ્ધ ન હોય તે મીઠાઇઓ માટે પડાપડી કરી રહ્યા છે. તેના માટે લોકો લોંગ ડ્રાઇવ પણ કરે છે. અહીં કેસર કાજુકતરી 2500 રૂપિયે કિલો, ચોકલેટ રોલ અને ચોકલેટ બરફી 2300, મલાઇ સેન્ડવિચ 2000 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. અમેરિકામાં કાજુકતરી સૌથી વધુ પસંદ કરાતી મીઠાઇ છે.

અમેરિકામાં સમયાંતરે વધતી ભારતીય વસતીની સાથે જ ભારતીય તહેવારોની રોનક પણ વધી છે. સાથે જ ભારતીય ચીજવસ્તુઓની પણ બોલબાલા છે. અહીં રહેતા ભારતીયોમાં તો આ મીઠાઇઓની દીવાનગી જોવા મળે જ છે પરંતુ સાથે સાથે અન્ય સમુદાયના લોકોમાં પણ મીઠાઇઓ લોકપ્રિય છે. ન્યૂયોર્કના મહારાજા સ્વીટ્સના માલિક સુખદેવ બાવાના મેનુમાં 80થી વધુ મીઠાઇઓ છે. તેમના કર્મચારી નિયમિતપણે ભારત આવીને મીઠાઇની નવી રેસિપી શીખીને પરત જાય છે. તેમની મીઠાઇની માંગ સમગ્ર અમેરિકામાં એ માટે છે કે તેઓ શુદ્વ દૂધ અને ઘીમાંથી મીઠાઇ બનાવે છે, જ્યારે અહીં લોકો સામાન્યપણે દૂધ પાઉડરનો પણ ઉપયોગ કરે છે.

તેઓ કહે છે કે, વર્ષભરના કુલ બિઝનેસનો 20% તો માત્ર દિવાળીમાં જ થઇ જાય છે. ઓહાયોમાં પંજાબ સ્વીટ્સ ચલાવતા ઇકબાલ ઘા કહે છે કે પહેલાં મીઠાઇ ખરીદવા માટે તેઓ 3 કલાક કાર ચલાવીને કેનેડા જતા હતા. હવે લોકો કલાકો સુધી કાર ડ્રાઇવ કરીને તેમની પાસે મીઠાઇ ખરીદવા આવે છે. તેમના કિચનમાં માત્ર મહિલાઓ જ કામ કરે છે. પુરુષો માત્ર સફાઇ કરે છે. જયશ્રી ગંપા હાર્નડોનમાં જયશ્રી સ્વીટ્સનું સંચાલન કરે છે.

દક્ષિણ ભારતની મીઠાઇઓ તેમની ખાસિયત છે. કાઝા અમેરિકામાં એટલી પ્રસિદ્વ છે કે લોકો ભારત લઇને જાય છે. કાઝા આંધ્રપ્રદેશની એક પ્રકારની પેસ્ટ્રી છે, જે ડીપ ફ્રાય હોય છે. 2005માં બ્રિજ મોહન ઇન્ડિયન સ્વીટ્સ એન્ડ રેસ્ટોરન્ટ ખોલનાર સોહનલાલ કહે છે કે દિવાળીમાં 3 દિવસ સુધી દુકાન સતત ચાલુ રહે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow