અમેરિકા ઓસ્ટ્રેલિયામાં પરમાણુ બોમ્બર તહેનાત કરશે

અમેરિકા ઓસ્ટ્રેલિયામાં પરમાણુ બોમ્બર તહેનાત કરશે

અમેરિકા ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય ક્ષેત્રમાં એરફોર્સ બેઝ પર પરમાણુ બોમ્બર્સ છોડવાની ક્ષમતા સાથે B-52 બોમ્બર તહેનાત કરવા જઈ રહ્યું છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ અમેરિકા ઓસ્ટ્રેલિયાના ટિંડાલ એરબેઝ પર 6 પરમાણુ બોમ્બર તહેનાત કરશે. તેનાથી ચીનની ચિંતા વધી શકે છે.

અમેરિકાએ આ પગલુ એવા સમયે ઉઠાવ્યું છે,જ્યારે ચીન સોલોમન આઈલેન્ડમાં સૈન્ય બેઝ બનાવી રહ્યું છે. ખરેખરમાં, ચીન એશિયા અને ખાસ કરીને પેસેફિક મહાસાગરમાં ઝડપથી પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. આ માટે ચીન સોલોમેન આઈલેન્ડમાં નેવી બેઝ બનાવીને એસ્ટ્ર્લિયામાં સેના મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

સોલોમન ટાપુઓ ઓસ્ટ્રેલિયાની ખૂબ નજીક છે. અહીંથી ગ્વાડલ કેનાલ પ્રશાંત મહાસાગરમાંથી ઓસ્ટ્રેલિયા થઈને ન્યુઝીલેન્ડ પહોંચે છે. આ જ કારણ છે કે અમેરિકા હવે ઓસ્ટ્રેલિયામાં સેના તહેનાત કરવા માંગે છે. ટિંડલ એરબેઝ પર અમેરિકા B-52 બોમ્બર્સના ઉતરાણ અને રહેવા માટે જરૂરી સેવા વિકસાવશે.

ચીનની સાથે વધતા તણાવને જોતા અમેરિકા માટે ઑસ્ટ્રેલિયાનો ઉત્તરીય વિસ્તાર મુખ્ય સંરક્ષણ હબ બની ગયો છે. નિષ્ણાતોના કહેવા મુજબ તાઈવાન પર ચીનના હુમલાની ધમકી વચ્ચે અમેરિકા ડ્રેગનને ચેતવણી આપવા માંગે છે, તેથી B-52 બોમ્બર તહેનાત કરવા જઈ રહ્યું છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow