અમેરિકા: કમાવા માટે નોકરીએ જવાને બદલે ઘરે જ બાળકોની સારસંભાળ રાખતા પુરુષોની સંખ્યા વધી

અમેરિકા: કમાવા માટે નોકરીએ જવાને બદલે ઘરે જ બાળકોની સારસંભાળ રાખતા પુરુષોની સંખ્યા વધી

અમેરિકામાં કમાવા માટે નોકરી કરવાને બદલે ઘરે જ રહેતા પુરુષોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે, ઘરમાં રહેનારી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પ્યૂ રિસર્ચ મુજબ વર્ષ 1989 અને 2021ની વચ્ચે ઘરમાં રહેનારી મહિલાઓની સંખ્યામાં 26% થી 28% ઘટાડો થયો છે જ્યારે આ સમય દરમિયાન કામ કરવાને બદલે ઘરે જ રહીને બાળકોની સારસંભાળ રાખનાર પુરુષોની સંખ્યામાં 4% થી 7%નો વધારો થયો છે. ઘરમાં રહેતા અને કામ પર જતા પુરુષો વચ્ચેનાં વિવિધ ધોરણો વચ્ચે શું તફાવત છે તે પણ જણાવ્યું છે. તે આ પ્રમાણે છે.

• શિક્ષણ: નોકરી કરતા પુરુષોની સરખામણીએ ઘરે રહેતા પુરુષોએ ઓછામાં ઓછો સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાની શક્યતા ઓછી હોય છે. ઘરે રહેતા લગભગ 22% પુરુષોનું શિક્ષણનું સ્તર આ જ છે. • ગરીબી: ઘરમાં રહેતા પુરુષોનો પરિવાર નોકરી કરતાં પુરુષોના પરિવારની સરખામણીએ આર્થિક રીતે ઓછા સમૃદ્ધ હોય છે. ઘરે રહેતા આશરે 40% પુરુષોનો પરિવાર ગરીબીમાં જીવે છે જ્યારે નોકરી કરતા પુરુષોમાં આ આંકડો માત્ર 5% છે. • ઉંમર : ઘરમાં રહેતા પુરુષો કામ પર જતા પુરુષોની સરખામણીએ વધુ ઉંમરના હોય છે. 46% ઘરમાં રહેતા પુરુષો 45 વર્ષ કરતાં વધુ વયના છે. • લગ્ન: ઘરે રહેતા પુરુષોમાં 68% પરિણીત હોય છે જ્યારે કામ કરતા પુરુષોમાં 85% પરિણીત છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow