અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુલાઈના રોજ 15 પાનાનો રિપોર્ટ સાર્વજનિક કર્યો છે. પ્રારંભિક તપાસ મુજબ આ દુર્ઘટના વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે થઈ હતી.

ટેકઓફના તરત જ બાદ એક પછી એક બંને એન્જિન બંધ થઈ ગયા હતા. આ દરમિયાન કોકપિટની રેકોર્ડિંગ પરથી જાણવા મળ્યું છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું હતું કે શું તમે એન્જિન બંધ કર્યું છે? બીજાએ જવાબ આપ્યો, ના.

12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ AI 171 ટેકઓફના થોડા જ સમય બાદ એક મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા હતા, જેમાં 241 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર શામેલ હતા. માત્ર એક યાત્રી આ દુર્ઘટનામાં જીવતો બચ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા - ઇંધણ કટઓફ સ્વીચ એક પછી એક માત્ર એક સેકન્ડમાં RUN થી CUTOFF માં બદલાઈ ગયા. રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે એન્જિનોને ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow