અંબાજી, બહુચરાજી, શામળાજી, ઊંઝા ઉમિયા મંદિર અને મોઢેરાનું મોઢેશ્વરી મંદિર સૌરઊર્જાથી ઝળહળ્યું

અંબાજી, બહુચરાજી, શામળાજી, ઊંઝા ઉમિયા મંદિર અને મોઢેરાનું મોઢેશ્વરી મંદિર સૌરઊર્જાથી ઝળહળ્યું

ગુજરાતી પ્રજાના આધ્યાત્મિક ઊર્જાનાં કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામો સૌરઊર્જા ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઉત્તર ગુજરાતના અંબાજી, બહુચરાજી, ઊંઝા ઉમિયા માતા મંદિર, શામળાજી અને મોઢેરા મોઢેશ્વરી માતા મંદિર સહિત પાંચ મંદિરોમાં કુલ 398 કિલોવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેને કારણે આ મંદિર ટ્રસ્ટોના માથેથી વીજબિલનું ભારણ ઘટવાની સાથે વીજબચત પણ થઇ રહી છે.

અંબાજીમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે પ્રવેશદ્વાર નં.9 પર રૂ.16 લાખના ખર્ચે હાઈડ્રોલિક લિફ્ટ, રૂ.10.47 લાખના ખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા, વીજબચત માટે રૂ.9.56 લાખના ખર્ચે હાઈમાસ્ટની સુવિધા, મંદિર પરિસરમાં રૂ.44.23 લાખના ખર્ચે 98 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ, ગબ્બર પરિક્રમાપથ પર 18.63 લાખના ખર્ચે સ્ટ્રીટલાઈટ ફિટિંગ કરાઇ છે. શામળાજી મંદિરમાં રૂ.8.86 લાખના ખર્ચે 25 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાઇ છે. તેમજ રૂ.8.04 લાખના ખર્ચે સોલાર સંચાલિત પીવાના પાણીની સુવિધા ઊભી કરાઇ છે. મોઢેરામાં મોઢેશ્વરી મંદિર ખાતે 65 લાખની 145 કિલોવોટની સોલાર રૂફટોપ લગાવાઇ છે.

બહુચરાજી મુખ્ય મંદિર પરિસર ઉપરાંત મંદિર સંચાલિત વલ્લભ ભટ્ટની વાવ, ભોજનાલય, યાત્રિક ભવન સહિતના સ્થળોએ 100 કિલોવોટની સોલાર રૂફટોપ લગાવાઇ છે. જેને કારણે મંદિરને 7 થી 8 લાખની વીજબિલમાં બચત થઇ રહી છે. સોલાર રૂફટોપ યોજનામાં સરકાર હસ્તકનાં યાત્રાધામોનો તમામ ખર્ચ રાજ્ય સરકાર વહન કરે છે. ખાનગી ટ્રસ્ટ સંચાલિત યાત્રાધામોમાં 70 % ખર્ચ સરકાર અને 30 ટકા ખર્ચ ખાનગી ટ્રસ્ટ કરે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow