રાજકોટ પરીક્ષા કેન્દ્ર પર ચલણી નોટનું પણ ચેકિંગ

રાજકોટ પરીક્ષા કેન્દ્ર પર ચલણી નોટનું પણ ચેકિંગ

એકવાર જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી ગયા બાદ રવિવારે બીજીવાર તેની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થાય એ સૌથી મોટી તંત્રની પરીક્ષા હતી. આથી જ આ વખતે વ્યવસ્થા અને બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર દૂર હોવાથી 50 ટકાથી વધુ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. વધારાની એસટી બસ ફાળવી હોવા છતાં જગ્યા નહિ મળતા ઉમેદવારોએ 200 કિમીની મુસાફરી ઊભા ઊભા કરી હતી. મોબાઈલ કેન્દ્રની બહાર જ રાખવામાં આવ્યા હતા. તેમજ ઉમેદવારની ચલણી નોટ પણ જોવામાં આવી હતી કે એમાં કોઈ લખાણ તો લખ્યું નથી ને?

જુનિયર ક્લાર્કની પરીક્ષાને કારણે રવિવારે રાજકોટ જિલ્લાના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં સવારથી ટ્રાફિક રહ્યો હતો. ઉમેદવાર પોતાની બસ-ટ્રેનના સમયની 30 મિનિટ કરતા વહેલા પહોંચી ગયા હતા. કેન્દ્રમાં સામાન્ય રીતે મોબાઇલ અને બેગ કેન્દ્ર સુધી લઈ જવા દેતા હોય છે, પરંતુ પ્રથમવાર એવું બન્યું હતું કે મોબાઈલ બેગ વગેરે સ્કૂલની બહાર જ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યાં તેનું પાકીટ વગેરે ચેક કર્યું હતું. આમ એક વિદ્યાર્થીને ચેકિંગ કરતા એક મિનિટ જેટલો સમય લાગી ગયો હતો. ક્લાસની બહાર બૂટ-ચપ્પલ બહાર ઉતારીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.જ્યાં મોબાઈલ મૂકવામાં આવ્યા હતા ત્યાં પોલીસ સ્ટાફ તૈનાત રખાયો હતો.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow