લાલકિલ્લાની સાથે લખપતના કિલ્લે તિરંગો લહેરાય છે

લાલકિલ્લાની સાથે લખપતના કિલ્લે તિરંગો લહેરાય છે

સ્વાતંત્ર્ય દિન નિમિતે દેશના પાટનગર દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર જે સમયે વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે તે જ સમયે પાકિસ્તાની સીમાને અડીને આવેલા કચ્છના લખપત કિલ્લા પર પણ સત્તાવાર ધ્વજવંદન કરવામાં આવે છે. 1947 માં દેશ આઝાદ થયો ત્યારથી આ ઐતિહાસિક પરંપરા ચાલી આવે છે.

દેશમાં દિલ્હીના લાલ કિલ્લા સિવાય કોઇ કિલ્લા પર સરકારી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાતો હોય તો માત્ર લખપતના અૈતિહાસિક કિલ્લા પર યોજાય છે. લખપતનું સરહદી વ્યુહાત્મક મહત્વ અને સિરક્રિક વિવાદને કારણે આઝાદી સમયથી જ કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ અા અનોખું ધ્વજવંદન યોજાતું હોવાનું જાણવા મળે છે.

15 ઓોગસ્ટના લાલ કિલ્લા પર સૂર્યોદય પછી ધ્વજવંદન થયા બાદ દેશમાં રાજ્યોના પાટનગરો સહિત તમામ જગ્યાએ સત્તાવાર ધ્વજવંદનના કાર્યક્રમો સવારના 9 પછી જ યોજવાનો નિયમ છે. એમાં એક માત્ર લખપત અપવાદ છે અને છેલ્લા કેટલાક વર્ષથી અહીં લાલ કિલ્લાની સાથે જ શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.

પાકિસ્તાની સરહદ પર કચ્છના ઉત્તરી સીમાડે આન,બાન અને શાનથી દેશનું રખોપું કરતા લખપત કિલ્લા પર હવે કાયમી ધોરણે મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઇએ તેવી સરહદી વિસ્તારના લોકોની લાગણી છે. ફ્લેગ કોડના નિયમોમાં થયેલ સુધારા જોતાં આ હવે શક્ય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow