થાયરોઈડથી બચાવવાની સાથે આ બિમારીઓમાં પણ ફાયદો કરશે દેશી ઘી, સેવન કરવાથી થશે ઢગલાબંધ ફાયદા

થાયરોઈડથી બચાવવાની સાથે આ બિમારીઓમાં પણ ફાયદો કરશે દેશી ઘી, સેવન કરવાથી થશે ઢગલાબંધ ફાયદા

ઘી હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે. તમે તેને ગુડ ફેટ્સ પણ કહી શકો છો. આ જ કારણ છે કે ઘીનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર નથી વધતું. પરંતુ ઘીના સેવનથી નસોનું લચીલાપણું એટલે કે ફ્લેગ્ઝિબ્લિટી અને સ્ટ્રેન્થ વધે છે. એટલા માટે ઘણીવાર ગાયનું ઘી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય સૌથી મોટી બીમારી એટલે કે થાઈરોઈડમાં ઘી ફાયદાકારક છે.

થાઈરોઈડની સમસ્યાને કંટ્રોલ કરે છે દેશી ઘી
તમે વિચારી રહ્યા હશો કે થાઈરોઈડમાં ઘી કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે. તો તમને જણાવી દઈએ કે  લોકોમાં ભ્રમ છે કે થાઈરોઈડ થવા પર ઘીનું સેવન ન કરવું જોઈએ. જી હા, દેશી ગાયનું ઘી શરીરની અંદરના હોર્મોનલ અસંતુલનને દૂર કરવાનું કામ કરે છે.

આ કારણથી તે થાઈરોઈડની સમસ્યાને પણ કંટ્રોલ કરે છે. થાઇરોઇડ રોગ હોર્મોન્સના અસંતુલનનું પરિણામ છે. તો ચાલો જાણીએ કે ભોજનમાં દેશી ઘી સામેલ કરવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે અને કઈ બીમારીઓ દૂર રહે છે.

આ રોગોમાં કરી શકાય છે દેશી ગાયના ઘીનું સેવન

  • જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો ભોજન સાથે ગાયનું ઘી ખાઓ. તેનાથી તમારું પાચન બગડશે નહીં. ધ્યાન રાખો, એક ચમચીથી વધુ ઘીનું સેવન ન કરો.
  • જે લોકો એવું વિચારે છે કે ઘી ખાવાથી વજન વધે છે તેમણે આ ભ્રમ પોતાના મનમાંથી કાઢી નાખવો જોઈએ. વજન ઘટાડવા માટે તમે ખુશીથી ઘી ખાઈ શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે દરરોજ ઘીનું સેવન કરો છો તો શારીરિક કસરત કરો.
  • તમે દાળમાં ઘી મિક્સ કરીને ખાઈ શકો છો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
  • જો શરીરમાં લેક્ટોઝ ઈંટોલરેન્સ હોય તો ઘીનું સેવન કરો.
  • જો શરીરના હાડકા નબળા હોય તો ઘી ખાઓ. ઘી ખાવાથી હાડકાં ઝડપથી મજબૂત થાય છે.
  • સાંધાના દુખાવામાં ઘી ખૂબ જ ફાયદાકારક છે.
  • શારિરીક નબળાઈ દૂર કરવા માટે ઘીનું સેવન કરો.
  • પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓની સારવારમાં ઘી અસરકારક છે. જો તમને ભૂખ ઓછી લાગે તો રોટલીમાં ઘી લગાવીને ખાઓ. ઘી ખાવાથી ભૂખ વધે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow