અલંગમાં આવેલા જહાજના કેપ્ટને સેટેલાઇટ ફોન દરિયામાં નાંખી દીધો

અલંગમાં આવેલા જહાજના કેપ્ટને સેટેલાઇટ ફોન દરિયામાં નાંખી દીધો

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા જહાજના કેપ્ટને પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ભારતીય જળસીમામાં ઉપયોગ કર્યા બાદ દરિયામાં ફેંકી દેતા સમગ્ર ઘટનાને અતિ બારીકાઇથી જોવામાં આવી રહી છે, અને ગુપ્તચર એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.82 (કિરણ શિપબ્રેકિંગ કંપની) દ્વારા ખરીદવામાં આવેલું જહાજ ડીડ-1 અલંગની સામેના દરિયામાં ગત શનિવારે આવી પહોંચ્યુ હતુ. ભારતીય જળસીમામાં પ્રવેશ્યા બાદ શિપના કેપ્ટને સેટેલાઇટ ફોન વડે વિદેશમાં વાતચીત કરી હતી, અને આ કોલને ગુપ્તચર શાખાએ આંતર્યો હતો.

શનિવારે ભાવનગર કસ્ટમ્સના અધિકારીઓ, કોસ્ટગાર્ડ, નેવલ ઇન્ટેલિજન્સ, ગુપ્તચર એજન્સીઓ સહિતનો કાફલો જહાજ પર ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.દરમિયાન જહાજના કેપ્ટનને સોમવારે શિપ પરથી ભાવનગર કસ્ટમ્સમાં લાવવામાં આવ્યો હતો. અને અહીં તેઓનું વિધિસર સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. એમ.વી.ડીડ-1 જહાજના તાર મૂળ પાકિસ્તાની અને દુબઇમાં બેંક ફ્રોડમાં સંડોવાયેલા તાહિર લાખાણીનું હોવા અંગેની દિશામાં ગુપ્તચર શાખા તપાસ કરી છે. ઉપરાંત ગુજરાતની એન્ટિ ટેરિરિસ્ટ સ્ક્વોડ પણ આ જહાજ સાથે સ્થાનિક સ્તરે સંકળાયેલા લોકોની પુછપરછ કરી રહ્યું છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow