ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે બદામ... જાણો કઈ રીતે સેવન કરવાથી મળશે સૌથી વધારે ફાયદો

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે બદામ... જાણો કઈ રીતે સેવન કરવાથી મળશે સૌથી વધારે ફાયદો

બદામ એક સુપર ફૂડ છે. આ પ્રોટીન, ફાઈબર, ઝીંક, પોટેશિયમ વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડનો સારો સોર્સ છે. બાળક હોય કે મોટા દરેક માટે બદામ ફાયદાકારક છે. તેના ઘણા ફાયદા તમે જાણતા હશે. તે પાચનતંત્રમાં ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને બીજુ પણ ઘણુ બધુ.

જ એક નવી સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ બદામ ખાવાથી વજન અને બ્લડ શુગર બન્ને મેઈન્ટેઈન રહે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ 12 અઠવાડિયા સુધી દરરોજ બદામ ખાધી હોય તેમનામાં ઈન્સુલિન રજીસ્ટેન્સ ઓછુ થઈ ગયુ પેન્ક્રિયાસની એક્ટિવિટીમાં સુધારો થયો અને બ્લડ શુગર મેઈન્ટેઈન કરવામાં મદદ મળી. સંશોધકોએ એવો પણ દાવો કર્યો છે કે જે ગ્રુપને બદાન આપવામાં આવી તેમના બોડી માસ ઈન્ડેક્સ અને કમરની પહોળાઈમાં પણ કમી આવી અને કોલેસ્ટ્રોલ પણ ઓછુ થયું.

ડાયાબિટીસ કંટ્રોલ કરે છે બદામ
ચેન્નાઈના મદ્રાસ ડાયબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને પ્રમુખ વિશ્વનાથ મોહને પણ આ વાતથી સહમતી દર્શાની છે કે બદામ ખાતા લોકોના વજન અને શુગર બંન્નેમાં સુધાર જોવા મળ્યો છે. ડોક્ટરે કહ્યું કે જાડાયણુ દુનિયાભરમાં જોવા મળતી એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. જાડાપણુ જ ટાઈપ ટૂ ડાયાબિટીસ જેવી બિમારીનો ખતરો વધારે છે.

એ પણ જાણીએ છીએ કે આ એક જટિસ સમસ્યા છે જે ડાયાબિટીસ સાથે જોડાયેલી છે. એવામાં અમને લાગે છે કે અમે એક સરળ સમાધાન શોધી લીધુ છે. સંશોધકોએ એ પણ જાણ્યું કે બદામ ખાતા લોકોમાં કુલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનુ સ્તર વધતુ રહે છે. આ સ્તુળતા અને ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે યોગ્ય છે.

કઈ રીતે કાર્ડિયોમેટાબોલિક સ્વાસ્થ્ય માટે વરદાન છે?
બદામ ખાતા લોકોએ પોતાની બીટા કોશિકાઓને સારૂ કાર્ય પ્રદાન કર્યું, "આ કોષો છે જે પેન્ક્રિયાસમાં ઈન્સુલિન બને છે. તે ઉપરાંત બદાનનું સેવન શરીરના વજનમાં સુધાર, પેન્ક્રિયાસની કાર્યપ્રણાલી, ઈંસુલિન પ્રતિરોધમાં કમી અને સારા રક્ત શર્કરા હોવું એ વાતનો ઈસારો કરે છે કે બદામ કાર્ડિયોમેટાબોલિક સ્વાસ્થ્ય માટે વરદાન છે. ડોક્ટરના અનુસાર બદામ જેવા માવા એક સ્વસ્થ આહાર ઘટક છે જે હૃદય રોગના જોખમને પણ ઓછુ કરી શકે છે."

કઈ રીતે બદામનું કરશો સેવન?
ડાયાબિટીસના દર્દીને કેલેરીને બેલેન્સ રાખવા માટે દિવસમાં 6થી 8 બદામ ખાવાની સલાહ આપે છે. આખી રાત બદામને પાણીમાં પલાળીને રાખો અને સવારે તેના છીલ ઉતારીને તેને ખાઈ લો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow