પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં સજાતીય સંબંધો માટે દબાણના આક્ષેપો

પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં સજાતીય સંબંધો માટે દબાણના આક્ષેપો

પોરબંદરમાં છેલ્લાં 80 વર્ષથી કાર્યરત આર્યકન્યા ગુરુકુળની હોસ્ટલમાં રહીને અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વિદ્યાર્થિનીએ સંસ્થાની હોસ્ટેલમાં સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. શેઠ નાનજી કાલીદાસ મહેતા દ્વારા સ્થાપિત આર્યકન્યા વિદ્યાલય ગુરુકુળમાં હાલ 300 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પૈકી અમુક વિદ્યાર્થિનીઓ દ્વારા હેરાનગતિ કરી, દબાણ કરી, સજાતીય સંબંધો બાંધવા માટે વિદ્યાર્થિનીઓને મજબૂર કરાતી હોવાનો દાવો એક 13 વર્ષની સગીર વિદ્યાર્થિની અને તેના માતાપિતાએ કર્યો છે.

આર્યકન્યા ગુરુકુળની હોસ્ટલમાં વિદ્યાર્થિનીએ સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ
સગીરાના માતાપિતાએ આમાં સંસ્થામાં કામ કરતી ગૃહમાતાઓ પણ સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ આ અંગે આચાર્યને ફરિયાદો કરી હોવા છતાં આચાર્ય પગલા લેવાને બદલે ઢાંકપિછોડ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સોમવારે આર્યકન્યા ગુરૂકુળમાં વિદ્યાર્થીનીના માતાપિતા અને સગાસંબંધીઓ આવ્યા ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટિના સભ્ય ડો. ચેતનાબેન તિવારી પણ ત્યાં પહોંચી ગયા હતા અને આ વિદ્યાર્થીની કોઇ ખરાબ બાબતનો ભોગ બને તે પહેલા જ તેના માતાપિતાએ દિકરીનું એડમીશન રદ્દ કરાવી દિકરીને સંસ્થામાંથી લઇ ગયા હોવાનું જાણવા મળેલ છે. જયારે બીજી તરફ આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા પોરબંદર જીલ્લા પોલીસ પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે

ફર્સ્ટ પર્સન: વાંચો સમગ્ર ઘટનાક્રમ બાળકીનાં માતાપિતાની જુબાનીમાં

આ ઘટનાક્રમ વિશે આક્ષેપ અને ફરિયાદ કરનાર સગીર વિદ્યાર્થિનીના માતાપિતાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી અને સમગ્ર ઘટનાક્રમ અને આપવિતી જણાવી હતી. અમારી પુત્રી 13 વર્ષની છે. ધોરણ 8માં અભ્યાસ કરે છે. એક મહિના પહેલા અમે તેને અન્ય સંસ્થામાંથી અભ્યાસ માટે પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં એડમિશન અપાવ્યું હતું. જયાં તે ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. અમારી દીકરીએ અમને જણાવ્યું હતું કે આ સંસ્થામાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓ દ્વારા લેસ્બિયન સ્કેન્ડલ આચરવામાં આવી રહ્યું છે. જેનો ભોગ અહીં ભણતી દરેક વિદ્યાર્થીનીઓને બનાવવાની કોશીશ કરવામાં આવે છે. આ કામમાં સંસ્થાની તમામ ગૃહમાતાઓ પણ સંડોવાયેલી છે અને વિદ્યાર્થિનીઓને આ સ્કેન્ડલમાં ફસાવવા માટે હેરેસમેન્ટ કરવામાં આવે છે તેમજ દબાણ ઊભું કરવામાં આવે છે.

વિદ્યાર્થિનીઓને આ સ્કેન્ડલમાં ફસાવવા માટે હેરેસમેન્ટ કરવામાં આવે છે તેમજ દબાણ ઊભું કરવામાં આવે
અમારી દીકરીએ આ અંગે શાળાના આચાર્યને બે-ત્રણ વખત ફરિયાદો કરી હોવા છતાં તેમના દ્વારા કોઇ જ એકશન લેવાયા ન હતા. દરમિયાનમાં આવું સ્કેન્ડલ ચલાવતી અન્ય વિદ્યાર્થિનીઓ દ્વારા અમારી પુત્રીના રૂમમાં આવા સ્કેન્ડલમાં સામેલ કરવા માટે એક ખૂબ જ બિભત્સ શબ્દોમાં ચિઠ્ઠી લખી મૂકવામાં આવી ત્યારે અમારી દીકરી ફફડી ગઇ હતી. અને તેણે આ અંગે અમને જાણ કરી હતી અને જયારે અમે અમારી દીકરીને મળ્યા ત્યારે 13 વર્ષની ઉંમર સુધી એક પિકચર પણ જોયું નથી તેવી અમારી દિકરી એક મહિનામાં તો આ પ્રકારનું નકામું ઘણું બધું જ્ઞાન મેળવી ચૂકી હોવાનું અમે અનુભવ્યું હતું. આવા કૌભાંડો મારી દિકરીએ પોતાની નજરે જોયું હોવાનું અમને જણાવતા અમે અમારી દિકરી આવા હીનકૃત્યોમાં ફસાઇ તે પહેલા અમે તેનું એડમીશન રદ્દ કરાવી તેને બચાવી લીધી હતું.

‘સજાતીય સંબંધ અંગેના આક્ષેપો તદ્દન ખોટા છે, આ સંસ્થામાં આવું ક્યારેય થતું નથી અને થશે પણ નહીં’
વિદ્યાર્થિનીને અહીં રહેવું ગમતું ન હોય અને તેના વાલીએ બળજબરી કરી હતી. આ વિદ્યાર્થિનીને એડજેસ્ટ થતું ન હોવાથી આ કાલ્પનિક વાતો ઊભી કરી છે. સજાતીય સંબંધ અંગેના આક્ષેપ તદન ખોટા છે. આ સંસ્થામાં ક્યારેય આવું થયું નથી અને ભવિષ્યમાં આવું થશે પણ નહિ. સંસ્થા પરના આક્ષેપ ખોટા છે.- ડો. રંજનાબેન મજિઠિયા, પ્રિન્સિપાલ, આર્યકન્યા ગુરુકુળ, પોરબંદર

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow