અજીત અગરકર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર બન્યા

અજીત અગરકર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર બન્યા

ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરને ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. BCCIએ મંગળવારે રાત્રે જાહેર કરેલી મીડિયા બ્રીફમાં આની જાહેરાત કરી હતી. બોર્ડે લખ્યું, 'અગરકરને વરિષ્ઠતાના આધારે ટેસ્ટ મેચમાં મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો છે.'

IPL ટીમ દિલ્હી કેપિટલ્સ ટીમમાં મુક્ત કર્યા: WTC ફાઈનલ પછી, IPL ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે અગરકરને તેમની ટીમના સહાયક કોચના પદ પરથી મુક્ત કર્યા. થોડા સમય પછી, ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે પસંદગી સમિતિના સભ્ય પદ માટે અરજી કરી.
BCCIએ ઘટાડી વય મર્યાદા ચેતન શર્માની વિદાય બાદ પસંદગી સમિતિમાં જગ્યા ખાલી પડી હતી. BCCIએ આ પોસ્ટ માટે અરજીની વય મર્યાદામાં રાહત આપી છે. અગાઉ તે 60 વર્ષની હતી, પરંતુ નવી વય મર્યાદા 45 વર્ષ કરવામાં આવી હતી, જેના કારણે 45 વર્ષીય અગરકરને સમિતિનો ભાગ બનવાની તક મળી હતી.

T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો: અજીત અગરકર 2007માં T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તેણે ટુર્નામેન્ટની 2 મેચમાં 15 રન બનાવ્યા અને એક વિકેટ પણ લીધી. ભારતે દક્ષિણ આફ્રિકામાં આયોજિત ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
વન-ડેમાં સૌથી ઝડપી ફિફ્ટી બનાવનાર ભારતીયઃ અજીત અગરકર વન-ડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે. તેણે વર્ષ 2000માં ઝિમ્બાબ્વે સામે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી.
સૌથી ઝડપી 50 વિકેટ: અગરકરે ભારત માટે સૌથી ઝડપી 50 વિકેટ પૂરી કરી છે. તેણે 23 મેચમાં આ કારનામું કર્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow