આરોગ્યના સહારે 15 દિવસમાં 7 કરોડ ઘરે પહોંચવાનું લક્ષ્ય

આરોગ્યના સહારે 15 દિવસમાં 7 કરોડ ઘરે પહોંચવાનું લક્ષ્ય

કેન્દ્ર સરકાર મિશન 2024 પહેલાં ‘આયુષ્માન ભવ અભિયાન’ હેઠળ 7 કરોડ નવા પરિવારો સુધી પહોંચવાની તૈયારીમાં છે. એક પરિવારમાં સરેરાશ 5 સભ્ય હોવાનું માનીને અંદાજે 35 કરોડ નવા લોકોનાં આયુષ્માન કાર્ડ બનાવવાનું લક્ષ્ય છે. 2018માં કેન્દ્ર સરકારે આયુષ્માન યોજનામાં આવરી લેવા માટે 10.74 કરોડ પરિવાર એટલે કે અંદાજે 50 કરોડ લોકો ઓળખી કાઢ્યા હતા. હવે લાભાર્થીઓની સંખ્યામાં 2011 પછી નવી વસ્તીગણતરી ન થઈ હોવાથી ન નોંધાયેલા લોકોને પણ જોડવાના છે. આવા 2 કરોડ પરિવાર એટલે કે અંદાજે 10 કરોડ લોકો છે.

કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં 25 કરોડ આયુષ્માન કાર્ડ તૈયાર કરી ચૂકી છે. સરકાર 2 ઑક્ટોબર સુધી આયુષ્માન લાભાર્થીઓનો કુલ આંકડો વધીને 60 કરોડ કરવા ઇચ્છે છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે નવા લાભાર્થીઓમાં કચરો વીણનારા, ભિક્ષુકો, ઘરનોકરો, પરિવહનના કર્મચારીઓ, હૅલ્પર, પેઇન્ટર, મિસ્ત્રી પણ જોડાશે.

આયુષ્માન મેળામાં મધ્યમ વર્ગની પણ નિ:શુલ્ક સારવાર કરાશે
અભિયાન હેઠળ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન આયુષ્માન યોજના સાથે જોડાયેલા તમામ 1.17 લાખ હૅલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર આયુષ્માન મેળા યોજાશે. તેમાં ગરીબની સાથેસાથે મધ્યમ વર્ગની પણ નિ:શુલ્ક સારવાર કરાશે. લાભાર્થી હશે તેને તરત જ કાર્ડ બનાવાશે. તમામ બ્લોક હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજોમાં પણ આવા કેમ્પ લાગશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow