ગુજરાતમાંથી 10 લાખ ઉદ્યોગસાહસિકો તૈયાર કરવાનું લક્ષ્ય

ગુજરાતમાંથી 10 લાખ ઉદ્યોગસાહસિકો તૈયાર કરવાનું લક્ષ્ય

વૈશ્વિક ફલક પર ભારત લીડર બનવા તરફ સતત આગેકૂચ કરી રહ્યું છે અને આ સપનાને વાસ્તવિક બનાવવામાં દેશના ઉદ્યોગસાહસિકો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ઉદ્યોગસાહસિકતા જ સમયની માંગ છે. જીવનમાં સફળ થવા માટે આત્મવિશ્વાસ સૌથી વધુ જરૂરી છે અને જ્યારે તમે કોઇને પ્રેરિત કરશો ત્યારે તે તમારા માટે કંઇક કરવા માટે હંમેશા ઉત્સુક રહેશે.

તમારી લોકો સાથે વાતચીત કરવાની ક્ષમતા જ તમને જીવનમાં નવી ઊંચાઇએ પહોંચાડે છે. સંપત્તિનું સર્જન કરવા માટે કંઇ રીતે સ્ત્રોત એકત્ર કરવા તે માટે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શીખવું પડશે તેમ વરમોરા ગ્રુપના ચેરમેન પ્રકાશ વરમોરાએ જણાવ્યું હતું.

આઇ કેન આઇ વિલ ફાઉન્ડેશનની પહેલ ILEADના નેજા હેઠળ આયોજીત કાર્યક્રમ દરમિયાન અનેક ઉદ્યોગસાહસિકોને સંબોધિત કર્યા હતા તેમજ MSME માલિકોને ડિઝાઇન થિન્કીંગ તેમજ ક્યારેય હાર ન માનવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઉદ્યોગસાહસિકતામાં સફળ થવા માટે સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત આત્મવિશ્વાસ અને વિચારશક્તિ છે.

સરકારની સાનુકૂળ પોલિસીને કારણે ભારત ઉદ્યોગસાહિસકો તેમજ સાહસો સફળ થઇ શકે તે માટેના તમામ જરૂરી પરિબળો ધરાવે છે. ગુજરાત ઝડપી દરે વિકાસ પામે તે માટેની તમામ ક્ષમતાઓ ધરાવે છે અને વર્ષ 2032 સુધીમાં દોઢ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનશે. વિશ્વ માટે ગુજરાત એક રોલ મોડલ બની રહેશે. મારું લક્ષ્ય ગુજરાતમાંથી 10 લાખ ઉદ્યોગસાહસિકોનું સર્જન કરવાનું છે જે અર્થતંત્રને વિકાસ તરફ દોરવા ઉપરાંત નવી રોજગારીનું તકોનું સર્જન કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આઇ કેન આઇ વિલ ફાઉન્ડેશનના શ્યામ તનેજાએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા MSME માલિકોને તેમનાી ક્ષમતાના સંપૂર્ણપણે ઉપયોગ અને ભારત નિર્માણના લક્ષ્યમાં યોગદાન આપવા માટે સતત પ્રેરિત કરતી રહેશે.

‌‌

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow