અમદાવાદ-ગોવાની ફ્લાઇટ મહિનો મોકૂફ થવાથી 5 હજાર લોકો રઝળ્યા

અમદાવાદ-ગોવાની ફ્લાઇટ મહિનો મોકૂફ થવાથી 5 હજાર લોકો રઝળ્યા

ગો ફર્સ્ટ બાદ હવે સ્પાઈસજેટ એરલાઈનની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે એરક્રાફટની અછત હોવાથી અમદાવાદથી ગોવા જતી ફ્લાઈટ રાતોરાત બંધ કરી દીધી છે. ભાસ્કરે પૂછેલા પ્રશ્નમાં એરલાઇને જણાવ્યુ કે ‘ઓપરેશનલ કારણોસર ફલાઇટ બંધ કરવામાં આવી છે તે ક્યારે શરૂ થશે તે નક્કી નથી. એડવાન્સમાં બુકિંગ કરાવેલ પેસેન્જરો-ટૂર ઓપરેટરોને રિફંડ આપી દેવાની બાંયેધારી આપવામાં આવી છે.

અમદાવાદથી ગોવા જતી ફ્લાઈટ રાતોરાત બંધ કરી દીધી
જો કે એરલાઇનની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થતી જાય છે વર્ષ પહેલા અમદાવાદથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સહિત 11 ડિપાર્ચર હતા જે ધીમેધીમે ચાર પર આવી ગયા હતા. આજે ગોવાની ફલાઇટ પણ બંધ થતા હવે અમદાવાદથી દુબઇ, દિલ્હી અને જયપુર એમ કુલ ત્રણ જ સેક્ટર પર ફલાઇટ ઓપરેટ કરશે. અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઈટે મંગળવારે બપોરે 4.14 કલાકે ગોવા માટે છેલ્લી ઉડાન ભરી હતી. એરલાઇન કંપનીએ તમામ પેસેન્જરોને ફ્લાઇટ મેસેજ કરી જાણ કરી દેવાઈ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow