ટામેટાં પછી ડુંગળીના ભાવ ઊંચકાયા

ટામેટાં પછી ડુંગળીના ભાવ ઊંચકાયા

દેશમાં ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી નિકાસ પર 40% ડ્યૂટી લગાવી છે. અત્યાર સુધી તેની નિકાસ પર કોઈ ટેક્સ લાગતો ન હતો. આ પગલાથી સરકાર દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા જાળવી રાખવા માંગે છે અને તેનાથી ભાવ પણ નિયંત્રણમાં રહેશે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે માહિતી આપી હતી.

ઉપભોક્તા બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, શનિવારે (19 ઓગસ્ટે) ડુંગળીની અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત 30.72 રૂપિયા પ્રતિ કિલો હતી. મહત્તમ ભાવ રૂ. 63 પ્રતિ કિલો અને લઘુતમ ભાવ રૂ. 10 પ્રતિ કિલો હતો. એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં ડુંગળીનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૂ. 25 હતો. લઘુતમ ભાવ રૂ. 11 અને મહત્તમ ભાવ રૂ. 60 પ્રતિ કિલો હતો. જોકે ગુજરાતમાં 35થી 40 રૂપિયે કિલો ભાવ છે.

તે જ સમયે, આ મહિનાની શરૂઆતમાં એટલે કે 1 ઓગસ્ટના રોજ, ડુંગળીની મહત્તમ કિંમત 75 રૂપિયા પ્રતિ કિલો અને લઘુતમ કિંમત 10 રૂપિયા પ્રતિ કિલો હતી. ઓલ ઈન્ડિયા એવરેજ રિટેલ ભાવ રૂ. 27.27 હતો. દિલ્હીમાં તેની કિંમત 30 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી હતી, જ્યારે શનિવારે એટલે કે 19 ઓગસ્ટે દિલ્હીમાં ડુંગળી 37 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow