ભૂકંપ પછી કાટમાળમાં લોકો સ્વજનોને શોધી રહ્યા!

ભૂકંપ પછી કાટમાળમાં લોકો સ્વજનોને શોધી રહ્યા!

ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર સોમવારે આવેલા ભૂકંપમાં 162 લોકોના મોત થયા છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ પછી ચારેય તરફ કાટમાળ, મૃતદેહો અને ઘાયલો દેખાઈ રહ્યા છે. 2 હજારથી વધુ મકાનો ધરાશાયી થયા હતા. 13 હજાર લોકો બેઘર છે. ઇજાગ્રસ્તોને કામચલાઉ કેમ્પ, પાર્કિંગની જગ્યાઓ અને રસ્તાઓ પર સારવાર આપવામાં આવી રહી છે.

સૌથી વધુ વિનાશ સિયાંજુર શહેરમાં થયો છે, જ્યાં ભૂકંપ દરમિયાન 3 મિનિટ સુધી ઇમારતો હલતી રહી હતી. મોટાભાગના મૃત્યુ પણ અહીં થયા છે. આંકડો હજુ સ્પષ્ટ થયો નથી.

સોમવારે બપોરે પશ્ચિમ જાવા ટાપુ પર 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનમાં બહુ નીચું ન હતું. કેન્દ્ર 10 કિ.મી. નીચે હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો ભૂકંપનું કેન્દ્ર વધુ ઉંડાણમાં હોત તો આટલી તબાહી ન થઈ હોત. ઈન્ડોનેશિયાની જિયોફિઝિકલ એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ બાદ 25 આફ્ટરશોક્સ આવ્યા હતા. જેના કારણે લોકોને બહાર નીકળવાની તક મળી નહીં. સિયાંજુર સૌથી વધુ પ્રભાવિત થયું હતું કારણ કે ત્યાં વસ્તી ખૂબ જ ગીચ છે. અહીં ભૂસ્ખલન સામાન્ય છે. ઘરો ખૂબ મજબૂત રીતે બાંધવામાં આવતા નથી. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો આંકડો હજુ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયો નથી. આખી રાત બચાવ કામગીરી ચાલી હતી. કાટમાળમાં ઈજાગ્રસ્તો અને મૃતદેહોની શોધ હજુ ચાલુ છે.

સિયાંજુરના વહીવટી વડા હરમન સુહેરમાને જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકો કાટમાળ પડવાને કારણે ઘાયલ થયા છે. નજીકમાં એક ગામ છે, જ્યાંથી એમ્બ્યુલન્સમાં ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ ગામમાં ઘણા એવા પરિવારો હતા, જેમને દૂર કરવામાં આવ્યા ન હતા. ઘણા ઘાયલોને હોસ્પિટલની બહાર કાર પાર્કિંગમાં અને રસ્તાઓ પર ચાલતા સારવાર આપવામાં આવી રહી છે. ભૂકંપ બાદ હોસ્પિટલોમાં કેટલાક કલાકો સુધી વીજળી ન હતી. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં 3 દિવસનો સમય લાગશે. રેસ્ક્યૂ અભિયાન હજી ચાલુ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow