પિક પર પહોંચ્યા બાદ સોનાના ભાવ15 દિવસમાં ~2454 ઘટ્યા

પિક પર પહોંચ્યા બાદ સોનાના ભાવ15 દિવસમાં ~2454 ઘટ્યા

સોનામાં ભારે તેજી આવ્યા બાદ સોનાની કિંમતમાં ફરીવાર ઘટાડાનો દોર શરૂ થયો છે. આ મહિનામાં 24 કેરેટ સોનાની કિંમત હજી સુધી 2,454 રૂપિયા ઘટીને 56,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગઇ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના કહેવા મુજબ બીજી ફેબ્રુઆરીએ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 58882 હતા.  

આ ભાવ સોનાની સર્વોચ્ચ ઊંચી સપાટી હતી. આ પહેલાં જાન્યુઆરીમાં સોનાના ભાવમાં તેજી નોંધાઇ હતી. માત્ર 15 દિવસના ગાળામાં જ કિંમતો આશરે 2,800 રૂપિયા વધી ગઇ હતી. ત્યારબાદ ફેબ્રુઆરી શરૂ થતાંની સાથે જ ઘટાડાનો દોર શરૂ થયો હતો, જે હજુ સુધી જારી છે.

બજાર સાથે જોડાયેલા નિષ્ણાતો માની રહ્યા છે કે સોનાની કિંમતમાં ઘટાડો વધારે લાંબા સમય સુધી જારી રહેવાની શક્યતા નથી. આઇઆઇએફએલના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) અનુજ ગુપ્તાએ કહ્યું હતું કે કિંમત 59,000 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા બાદ સ્થાનિક બજારમાં સોનાની માંગણી ઘટી રહી છે.  

જેના કારણે સોનાની કિંમતોમાં પણ ઘટાડાનો દોર શરૂ થયો છે. આ ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થા, ખાસ કરીને અમેરિકાને લઇને જોખમો પણ કેટલાક અંશે ઓછા થયા છે, જેની અસર સોનાની કિંમત પર દેખાઇ રહી છે.

સોનાના ભાવમાં આ કારણોથી કિંમતોમાં ઘટાડો‌‌

1 અમેરિકામાં મજબૂત આર્થિક આંકડાના કારણે જોખમ ઘટ્યાં છે‌‌

2 હાલમાં ઘટાડા બાદ ડોલરમાં ફરી એકવાર તેજી શરૂ થઇ

3 વ્યાજદરમાં વધારો જારી રાખશે તેવો ફેડ દ્વારા સંકેત


4 કિંમતોમાં જોરદાર તેજી બાદ ઘટાડો માટેનો સ્વાભાવિક પ્રવાહ

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow