ચન્દ્ર, મંગળ અને સૂર્ય પછી હવે ભારત શુક્ર પર

ચન્દ્ર, મંગળ અને સૂર્ય પછી હવે ભારત શુક્ર પર

ચન્દ્રયાન-3, મંગળયાન, સૂર્યયાન (આદિત્ય)ની સફળતા પછી ભારતે હવે શુક્રયાનની તૈયારી આદરી છે. ઈસરોના ચેરમેન એસ.સોમનાથે કહ્યું હતું કે શુક્રનું વાતાવરણ ધરતીના વાતાવરણ કરતાં 100 ગણુ વધારે દબાણ ધરાવે છે, તેનો અભ્યાસ જરુરી છે. કેમ કે હજારો વર્ષ પછી ધરતીની સ્થિતિ પણ શુક્ર જેવી થઈ શકે છે. ચન્દ્ર પર વાતાવરણ નથી, મંગળના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધારે છે, જ્યારે શુક્ર એવો ગ્રહ છે જેને વાતાવરણનો થર છે.

ઈસરોના કહેવા મુજબ 2024મા આ મિશન લોન્ચ કરી શકાય છે. જો એ તક ચૂકી જવાય તો પછી 2031માં વારો આવી શકે. જોકે વચ્ચે 2026-28 વચ્ચે પણ લોન્ચિંગની તક છે. ઈસરોને 2012માં જ શુક્રયાન માટે મંજૂરી મળી હતી જ્યારે 2017માં ફન્ડ આપવાની શરુઆત થઈ હતી. શુક્રયાન એ જોકે લોકોની સરળતા માટે અપાયેલું નામ છે, તેનું વૈજ્ઞાનિક નામ તો વિનસ ઓર્બિટર મિશન છે. શુક્ર નજીક હોય ત્યારે અંતર 6.1 કરોડ કિલોમીટર હોય છે, પરંતુ ત્યાં જતા યાને પૃથ્વી ફરતે ચક્કર મારવાના થાય એટલે સફર ઘણી લાંબી ચાલશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow