ચા બનાવ્યા બાદ તેના કૂચા કચરામાં ફેંકી ના દેતા, આ રીતે ઉપયોગમાં લેવાથી થશે ખૂબ ફાયદો

ચા બનાવ્યા બાદ તેના કૂચા કચરામાં ફેંકી ના દેતા, આ રીતે ઉપયોગમાં લેવાથી થશે ખૂબ ફાયદો

ભારતમાં ચાના પ્રેમીઓની કોઈ કમી નથી. પાણી પછી સૌથી વધુ પીવામાં આવતું પ્રવાહી ચા છે. સવારે ઉઠ્યા બાદથી લઈને દિવસભર ફ્રેસ રાખવા માટે ચાની ચુસકીઓ સુકૂન આપે છે. સામાન્ય રીતે ચા બનાવ્યા પછી આપણે વધેલા ચાના કૂચાને ડસ્ટબીનમાં ફેંકી દઈએ છીએ પરંતુ જો તમે તેના ફાયદા વિશે જાણી જશો તો ભૂલથી પણ આ ભૂલ નહીં કરો. ચાલો જાણીએ કે આપણે બાકીના ચાના કૂચાનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

વધેલા ચાના કૂચાનો કેવી રીતે કરશો ઉપયોગ?

વાળમાં આવશે ચમક
કેટલાક લોકોના વાળની ​​ચમક ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે વધેલા ચાના કૂચાનો ઉપયોગ કરી શકો છો. તે કુદરતી કંડીશનરનું કામ કરે છે. આ માટે વઘેલા ચાના કૂચાને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેને ગાળી લો. હવે તેને પાણીથી ભરેલા વાસણમાં ઉકાળો અને જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેનાથી વાળ ધોઈ લો, જો તમે આ નિયમિત કરશો તો વાળમાં અદભૂત ચમક આવશે.  

છોડ રહેશે સ્વસ્થ્ય
ઘણા લોકો પોતાના ઘરોમાં છોડ લગાવવાના શોખીન હોય છે. પરંતુ ક્યારેક આ છોડ સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં ચાના વધેલા કૂચા સાફ કરીને. તેને કૂંડામાં નાખી દો. તે ખાતરની જેમ કામ કરશે અને છોડ  લીલાછમ જોવા મળશે.

રૂઝાઈ જશે ઘા
ચાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેનો ઉપયોગ ઈજા પહોંચી હોય તેની સારવાર માટે કરે છે. આ માટે વધેલા ચાના કૂચાને સાફ કરો અને તેને પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા પછી તેને ઈજા પર લગાવો પછી થોડીવાર પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

ઓયલી વાસણો થશે સાફ
ઓઈલી વાસણોને સ્વસ્છ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘણી વખત તેને સારી રીતે ધોયા પછી પણ તેલની દુર્ગંધ દૂર થતી નથી. આવી સ્થિતિમાં તમે વઘેલા ચાના કૂચાને ઉકાળો અને પછી તેલવાળા વાસણોને સરળતાથી સાફ કરી લો.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow