રાજકોટમાં ઉમેદવારી નોંધાવ્યા પછી ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા

રાજકોટમાં ઉમેદવારી નોંધાવ્યા પછી ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ધીમે ધીમે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોવાથી હવે નેતાઓ આજે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાઇ ગયા છે. આજે સવારથી જ નેતાઓ પોતાના કાર્યકર્તાઓ સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી ડોર ટુ ડોર પ્રચાર કરી લોકો પાસે મત માગવા જઇ રહ્યા છે. ભાજપના ઉમેદવારો ઉદય કાનગડ, રમેશ ટીલાળા લોકોના ઘરે ઘરે જઈ શિશ ઝૂકાવી મત માગતા નજરે પડી રહ્યા છે. રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીને ભાજપે ટિકિટ ન આપતા નારાજ છે. તેની જગ્યાએ ભાજપે ઉદય કાનગડને ટિકિટ આપી છે. આજે ઉદય કાનગડ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છે ત્યારે તેની સાથે અરવિંદ રૈયાણી પણ જોવા મળ્યા છે.

રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તા સાથે પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે. દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં આવતા કરણપરા, પેલેસ રોડ, સોની બજાર, સહિત આસપાસના વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. જેમાં લોકોના ઘર તેમજ દુકાનોમાં વેપારી પાસે પહોંચી ભાજપને મત આપવા અપીલ કરી હતી. આ સમયે કાર્યકર્તા હાથમાં ભાજપનું નિશાન કમળ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા સાથે કટઆઉટ હાથમાં લઇ જોવા મળ્યા હતા.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow