દેશમાં કોવિડ બાદ ઘરેલુ બચત 45% ઘટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 151 ટકા વધ્યું

દેશમાં કોવિડ બાદ ઘરેલુ બચત 45% ઘટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 151 ટકા વધ્યું

દેશની જીડીપીમાં ઘરેલુ બચતનો હિસ્સો 2021-22માં ઘટીને 10.8% થયો છે. વર્ષ 2020-21માં આ હિસ્સો 16% હતો. બેન્ક ઑફ બરોડાએ RBIના ડેટાના હવાલાથી પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. તે અનુસાર કોવિડ-19 પહેલા એટલે કે વર્ષ 2019-20માં ઘરેલુ બચતનો જીડીપીમાં હિસ્સો 12% હતો. વર્ષ 2021-22માં RBIએ રેપોરેટમાં સતત વધારો કર્યો હતો. લોકોએ વધુ રિટર્નની આશાએ શેરમાર્કેટ અને રોકાણ માટેના અન્ય સાધનોમાં રોકાણ કર્યું.

બેન્કોએ પોતાની ડિપોઝિટ બેઝ બચાવી રાખવા માટે વધુ પડકારનો સામનો કરવો પડ્યો હતો. તે એક વર્ષમાં બેન્કોની કુલ ડિપોઝિટ બેઝ 12.59 લાખ કરોડ રૂપિયાથી 44.8% ઘટી 6.95 લાખ કરોડ થઇ હતી. દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 150% વધ્યું હતું. વર્ષ 2020-21માં તે 64,084 કરોડ રૂ. હતું. તે વર્ષ 2021-22માં વધીને 1,60,600 કરોડ થયું હતું. શેરમાર્કેટમાં પણ રોકાણ વધ્યું છે. જો કે આ વધારો માત્ર 26.3% સુધી મર્યાદિત રહ્યો હતો. બેન્ક ડિપોઝિટમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં નાની બચત યોજનાઓમાં જમા રકમમાં 21%નો વધારો થયો હતો.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow