કોરોના બાદ હવે દુનિયા પર બર્ડ ફ્લૂથી મહામારી ફેલાવાનું જોખમ

કોરોના બાદ હવે દુનિયા પર બર્ડ ફ્લૂથી મહામારી ફેલાવાનું જોખમ

કોરોના બાદ હવે દુનિયામાં બર્ડ ફ્લૂથી મહામારી ફેલાવાનું જોખમ તોળાઇ રહ્યું છે. હજુ સુધી મરઘીઓ અને પક્ષીઓમાં ચેપ ફેલાયા બાદ હવે વાઈરસ એચ5એન1ના કેટલાક કેસ માનવીઓમાં પણ સપાટી પર આવ્યા છે. આ માનવી માટે નવી મહામારી બની શકે છે. આને ધ્યાનમાં લઇને ગયા સપ્તાહમાં વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે ચેતવણી પણ જારી કરી હતી. તેમણે કહ્યું હતું કે દુનિયાએ એક સંભવિત બર્ડ ફ્લૂ મહામારી માટે તૈયાર રહેવાની જરૂર છે. હાલમાં જ પેરુમાં એચ5એન1 ચેપથી 585 સી લાયન્સ અથવા તો દરિયાઇ સિંહોનાં મોત થયાં હતાં.

ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્પેનના મિન્ક ફાર્મમાં બર્ડ ફ્લૂના ચેપ અંગે માહિતી મળી હતી. બ્રિટનમાં બર્ડ ફ્લૂ શિયાળમાં જોવા મળ્યા બાદ સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. બીમારી ફેલાવાના ઇતિહાસને જોવામાં આવે તો તેના માનવીમાં ફેલાઇ જવાનો ખતરો અકબંધ છે. ડબ્લ્યુએચઓના પ્રમુખની ચેતવણીને આ જ સ્વરૂપમાં જોઇ શકાય છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow