ઓસ્ટ્રેલિયા પછી હવે કેનેડામાં ગૌરીશંકર મંદિર નિશાન પર

ઓસ્ટ્રેલિયા પછી હવે કેનેડામાં ગૌરીશંકર મંદિર નિશાન પર

ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા પછી હવે કેનેડાના એક મંદિરની દીવાલો પર ભારત વિરોધી અને ખાલિસ્તાન સમર્થક નારા લખવાની ઘટના સામે આવી છે. ઓન્ટારિયોના બ્રેમ્પટનમાં ગૌરીશંકર મંદિરમાં મંગળવારે આ ઘટના થઈ. કેનેડામાં રહેતા હિન્દુ આ ઘટનાથી ગુસ્સે ભરાયા છે. મંદિરમાં નિયમિત રીતે આવતા શ્રદ્ધાળુ અનુરાગે કહ્યું કે, કેનેડામાં રહેતો શાંતિપ્રિય ભારતીય સમુદાય નિયમિત રીતે કરોડો ડોલરનો ટેક્સ ભરે છે, પરંતુ અમારી સુરક્ષાની ગેરન્ટી નથી. તેમનો આરોપ છે કે, ભારત વિરોધી તત્ત્વોને કેનેડાના અધિકારીઓ અને પોલીસનું સંરક્ષણ મળે છે. બ્રેમ્પટનના રવિ શર્માએ કહ્યું કે, અમે અહીં સલામતી અનુભવતા નથી. મેયર દરેક ઘટના પછી નિવેદનો આપે છે, પરંતુ હવે તેમના પર ભરોસો નથી. ખાલિસ્તાન સમર્થકો જાણે છે કે, તેઓ કોઈ પણ ઘટના કરશે, તેમના પર કોઈ કાર્યવાહી થવાની નથી.

અન્ય શ્રદ્ધાળુ કમલ ગુપ્તાએ કહ્યું કે, હિન્દુઓ વિરુદ્ધ હેટ ક્રાઈમની ઘટનાઓ અટકાવી શકાઈ નથી. પોલીસે મંદિરો પર હુમલાની ઘટનાઓમાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. ગૌરીશંકર મંદિરના મુખ્ય પુજારી આચાર્ય ધીરેન્દ્ર ત્રિપાઠીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તંત્ર દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.

છ મહિનામાં મંદિર પર ત્રીજો હુમલો
ગયા વર્ષે જુલાઈમાં રિચમંડના વિષ્ણુ મંદિર અને પછી સપ્ટેમ્બરમાં ટોરેન્ટોના સ્વામિનારાયમ મંદિરમાં ભારત વિરોધી નારા લખવાની ઘટના ઘટી હતી. ગૌરીશંકર મંદિરની ઘટના પછી ભારતીય કોન્સ્યુલેટ જનરલે દોષિતોની ધરપકડની માગણી કરી છે. આ બાજુ બ્રેમ્પ્ટનના મેયર પેટ્રિક બ્રાઉને મંગળવારે ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow