Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
elections

રાહુલ ગાંધીને કોંગી નેતાઓની સલાહ, કહ્યું તેલંગાણામાંથી બોધપાઠ લઈ ગુજરાતની ચૂંટણી પર ધ્યાન આપવાની જરૂર

Gujaratnow3 min read
રાહુલ ગાંધીને કોંગી નેતાઓની સલાહ, કહ્યું તેલંગાણામાંથી બોધપાઠ લઈ ગુજરાતની ચૂંટણી પર ધ્યાન આપવાની જરૂર

રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,500 કિલોમીટર લાંબી 'ભારત જોડો પદયાત્રા' આજે તેલંગાણાથી મહારાષ્ટ્ર પહોંચી રહી છે પરંતુ તેલંગાણાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનું ત્રીજા સ્થાને આવવાથી પાર્ટીના નેતાઓમાં બેચેની વધારી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના નેતાઓ શરૂઆતથી જ 'ભારત જોડો યાત્રા'ને અપેક્ષા કરતા વધુ સફળ માની રહ્યા છે. જેના કારણે રાહુલ અને પાર્ટીને ફાયદો થવાનો ગણગણાટ શરૂ થયો છે. અવું પણ કહેવામાં આવ્યું કે જ્યાં યાત્રા નથી ચાલી ત્યાં પણ 'ભારત જોડો યાત્રા'નો સારો પ્રભાવ પડ્યો છે.

પેટા ચૂંટણીથી બોધપાઠ લેવો જોઈએ‌‌યાત્રા અને રાહુલ બંને અત્યાર સુધી સફળ છે, પરંતુ ચૂંટણીમાં નિષ્ફળતા યાત્રાની સફળતા પર નકારાત્મક અસર પાડશે તેવું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓનું એવું પણ માનવું છે કે, તેલંગાણાની પેટા ચૂંટણીનો બોધપાઠ લઈને બાકીના સમયમાં ગુજરાતમાં પ્રચાર કરવો જોઈએ તેમજ યાત્રામાં જે દિવસે વિરામ હોય તે દિવસે જઈને પ્રચાર કરવો જોઈએ. યાત્રા શરૂ થયા બાદ રાહુલ ગાંધી હિમાચલ પ્રેદશ અને ગુજરાતની ચૂંટણી માટે એક પણ વખત પ્રચાર કરવા ગયા નથી, પરંતુ જ્યારે યાત્રા તેલંગાણામાંથી પસાર થઈ રહી હતી. ત્યારે વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. કોંગ્રેસ બીઆરએસ, બીજેપીથી પાછળ ધકાલાઈ અને ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.

"રાહુલ અને પ્રયિંકા ગુજરાતમાં પ્રચાર કરશે"‌‌કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, મારા રાહુલ ગાંધી સાથે વાત થઈ છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે જશે. તેમણે કહ્યું ખડગેજી પણ ગુજરાતની ચૂંટણીને લઈ ખડેપગે રહેશે. હિમાચલની ચૂંટણી બાદ ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોંગ્રેસ ગુજરાતમાં પુરી તાકાતથી લડશે અને જીતશે. એવી પણ ચર્ચા છે કે તેલંગાણામાં માત્ર એક સીટ પર પેટાચૂંટણીનો હતી, તેમાંથી કોંગ્રેસ નેતાઓને બોધપાઠ લેવાની જરૂર છે. હિમાચલમાં પ્રિયંકાએ આગેવાની લીધી છે અને જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે.

ગુજરાતમાં નંબર 2 પાર્ટી કોણ બનશે‌‌કોંગ્રેસે ગુજરાતની ચૂંટણી પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, રાહુલ કે પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર માટે ગયા નથી, જ્યારે પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપનો કાફલો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના ગુજરાત દોરાથી રાજકારણમાં આપનું વાતાવરણ મજબૂત હોય તેવું જણાઈ રહ્યું છે તેવી યર્ચા વહેતી થઈ છે. કોંગ્રેસ ચૂંટણીને લઈને ગંભીર ન તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. જો ગુજરાતમાં નંબર ટુ પાર્ટી તરીકે આપ આવી જાય તો રાજકારણમાં મોટી રાજકીય ઘટના બની જશે અને  જેનું સીધુ નુકસાન કોંગ્રેસને થશે જે ઘા તેમને લાંબા સમય સુધી સહન પણ કરવુ પડશે.

‌                          ‌‌                          ‌‌                          ‌‌                          ‌                                                                       ‌

Gujaratnow3 min read

Related News