વિજ્ઞાનીને ફસાવનારા પૂર્વ ડીજીપી સહિત ત્રણના આગોતરા રદ

વિજ્ઞાનીને ફસાવનારા પૂર્વ ડીજીપી સહિત ત્રણના આગોતરા રદ

ઈસરોના પૂર્વ વિજ્ઞાની નમ્બી નારાયણનને 1994ના જાસૂસી કેસમાં ફસાવવાના કેસમાં સુપ્રીમકોર્ટે ગુજરાતના પૂર્વ ડીજીપી શ્રીકુમાર સહિત ત્રણને ફટકાર લગાવી છે. સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને સી.ટી. રવિકુમારની બેન્ચે શુક્રવારે આગોતરા જામીન આપવાનો કેરળ હાઈકોર્ટનો આદેશ રદ કરી દીધો છે.

આ સાથે બેન્ચે આ કેસ હાઈકોર્ટને નવેસરથી વિચારીને એક મહિનામાં ચુકાદો આપવાનો નિર્દેશ આપ્યો છે.સીબીઆઈની અરજીની સુનાવણી કરતા બેન્ચે કહ્યું કે આ તમામ મામલા હાઈકોર્ટને પાછા મોકલી રહ્યા છીએ, જેથી તેઓ ગુણ-દોષના આધારે નિર્ણય લઈ શકે. હાઈકોર્ટે વ્યક્તિગત આરોપો પર ધ્યાન નહીં આપીને આગોતરા જામીન આપવામાં પણ ભૂલ કરી છે.

આખો કેસ ઊભો કર્યો હતોઃ સીબીઆઈએ 79 વર્ષીય પૂર્વ વિજ્ઞાની ડૉ. નમ્બી નારાયણનને ક્લિનચીટ આપી હતી. વિજ્ઞાનીએ કહ્યું હતું કે કેરળ પોલીસે આ આખો કેસ ઊભો કર્યો હતો. 1994ના કેસમાં જે ટેક્નિકથી ચોરી કરીને તે વેચવાનો આરોપ લગાવાયો છે તે એ વખતે અસ્તિત્વમાં જ ન હતી.

1994માં ઈસરો જાસૂસીનો આરોપ
ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર, કેરળના બે પૂર્વ પોલીસ અધિકારી એસ. વિજયન અને ટી.એસ. દુર્ગા દત્ત તેમજ નિવૃત્ત ગુપ્તચર તંત્ર અધિકારી પી.એસ. જયપ્રકાશે 1994માં ઈસરોના તત્કાલીન વિજ્ઞાની નમ્બી નારાયણનની જાસૂસી કેસમાં ધરપકડ કરી હતી. જોકે, સુપ્રીમકોર્ટે 2018માં આ ધરપકડ ગેરકાયદે ઠેરવી અને વિજ્ઞાનીને રૂ. 50 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો હતો.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow