અદાણી ગ્રુપ હવે રેલવે ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી!

અદાણી ગ્રુપ હવે રેલવે ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી!

અદાણી ગ્રુપ હવે રેલવે ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝીસે શુક્રવારે (16 જૂન) સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે તે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (SEPL)માં 100% હિસ્સો હસ્તગત કરશે.

અદાણી એન્ટરપ્રાઇઝે માહિતી આપી, 'અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ (ADL) એ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સાના પ્રસ્તાવિત સંપાદનના સંબંધમાં શેર પરચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કર્યા છે.' જો કે બંને કંપનીઓ વચ્ચે આ ડીલ કેટલામાં થઈ છે તેની માહિતી હજુ સુધી મળી નથી.

અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઈવેટ લિમિટેડ એ અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની છે.

સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસ જેને 'ટ્રેનમેન' તરીકે પણ ઓળખવામાં આવે છે
સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડને 'ટ્રેનમેન' તરીકે પણ ઓળખવામાં આવે છે. IIT-રુરકી સ્નાતક વિનીત ચિરાનિયા અને કરણ કુમાર ટ્રેનમેનના સ્થાપક છે. તે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા અધિકૃત ટ્રેન ટિકિટ બુકિંગ સ્ટાર્ટ-અપ છે.

આ ઓલ-ઇન-વન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરવા ઉપરાંત, તમે PNR સ્ટેટસ, કોચની સ્થિતિ, લાઇવ ટ્રેનની સ્થિતિ અને સીટની ઉપલબ્ધતા જેવી માહિતી પણ મેળવી શકો છો.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow