ચીનના પાવર પ્લાન્ટમાંથી નીકળે છે એસિડ!

ચીનના પાવર પ્લાન્ટમાંથી નીકળે છે એસિડ!

ચીનના ફંડિગ વાળા નોરોચચોલાઈ કોલ પાવર પ્લાન્ટમાંથી ઝેરી એસિડ વિશ્વના સૌથી જૂના શ્રી મહાબોધિ વૃક્ષ માટે જોખમી બની શકે છે. વિસ્તારમાં સર્વે કર્યા પછી ઇકોલોજિસ્ટે જણાવ્યું કે પાવર પ્લાન્ટમાંથી નીકળતા એસિડિક વાદળો અનુરાધાપુરા તરફ આગળ વધી શકે છે, જ્યાં મહાબોધિ વૃક્ષ સ્થિત છે.

તેના લક્ષણો પાવર પ્લાન્ટની આસપાસના વૃક્ષોમાં પહેલેથી જ દેખાઈ રહ્યા છે. કેટલાક ઊંચા વૃક્ષોના પાંદડા ઝેરી ગેસના કારણે પીળા પડી ગયા છે. આ વિસ્તારમાં રહેતા અનેક બાળકો પણ ચામડીના રોગોનો ભોગ બન્યા છે.

નોરોચચોલાઈ પ્લાન્ટ શ્રીલંકામાં સૌથી મોટો થર્મલ પાવર પ્લાન્ટ છે. આ 900MW પ્લાન્ટમાંથી ઉત્સર્જન નિર્ધારિત ધોરણ કરતાં વધુ નોંધવામાં આવ્યું છે. કારણ કે પ્લાન્ટમાં વારંવાર બ્રેકડાઉનની સમસ્યા રહે છે. જ્યારે પ્લાન્ટમાંથી નીકળતી ફ્લાય એશ અને બોટમ એશને ખુલ્લા ખાડામાં સ્ટોર કરવામાં આવે છે. આ પાવર પ્લાન્ટ્સમાંથી નીકળતી બાય પ્રોડક્ટ્સ છે.

ખુલ્લા ખાડાઓમાં રાખવાના કારણે તે પવન સાથે આસપાસના વિસ્તારોમાં પહોંચે છે, જેના કારણે ઘણા બાળકોમાં ચામડી સંબંધિત રોગો થયા છે. આ સિવાય પાવર પ્લાન્ટમાંથી નીકળતા ગરમ પાણીને કારણે સૉલિડ, હીટ અને વોટર વેસ્ટ પણ મોટી માત્રામાં વધે છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આ એસિડિક સ્થિતિ ધીમે ધીમે દરિયાઈ વિસ્તાર તરફ પણ આગળ વધી રહી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow