કોમી વૈમનસ્ય કેસમાં આરોપી આજે કોર્ટમાં રજૂ

કોમી વૈમનસ્ય કેસમાં આરોપી આજે કોર્ટમાં રજૂ

વડોદરા શહેરમાં વિવિધ વોટ્સએપ ગ્રુપ બનાવી કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં અત્યાર સુધીમાં ગોત્રી પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે. 9 ઇસમોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કેસની તપાસ વડોદરા પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. આ ઉપરાંત વિવિધ એજન્સીઓ પણ પોલીસના સંપર્કમાં છે. આ ઉપરાંત સેન્ટ્રલ આઇબીની ટીમે વડોદરામાં આવીને તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે આતંકી કનેક્શન અંગે પણ તપાસ શરૂ કરી છે. જોકે, હજી સુધી આતંકી કનેક્શનને લઇને કોઇ કડી મળી નથી.

વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, 25 ઓગસ્ટના રોજ એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં લઘુમતિ કોમની એક મહિલા સાથે એક છોકરો હતો. તેની સાથે કેટલાક શખ્સો મારપીટ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે, બીજા ધર્મના છોકરા સાથે તમે કેમ અફેર રાખો છો. જેને પગલે વડોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી અને 3 આરોપીની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં 500 લોકોનું ગ્રુપ બનાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. એક ધર્મની યુવતી બીજા ધર્મના છોકરા સાથે જોવા મળે તો તેની પર વોચ રાખતા હતા. છોકરી કઇ ગાડીમાં ગઇ, છોકરો અને છોકરી ક્યાં મળે છે તેની વોચ રાખતા હતા.

વીડિયો બનાવીને વાઇરલ કરતા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવા છોકરા-છોકરીઓ મળે તેમની સાથે મારપીટ કરતા હતા અને તેમના વીડિયો બનાવતા હતા. વીડિયો બનાવીને વાઇરલ કરતા હતા અને કેટલાક કિસ્સાઓમાં છોકરીના માતા-પિતાને બ્લેકમેઈલ પણ કરતા હતા. છોકરીઓની સગાઇ અને લગ્ન તોડાવતા હતા. છોકરા-છોકરીઓના વીડિયો તેમના ગ્રુપમાં વાઇરલ કરતા હતા.

Read more

પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે

પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે ભારત ભાગ્યશાળી છે કે તેમને PM તરીકે મોદી મળ્યા છે. તેઓ કોઈના દબા

By Gujaratnow
રશિયન રાષ્ટ્રપતિ પુતિન 7 મંત્રીઓ સાથે ભારત પહોંચ્યા

રશિયન રાષ્ટ્રપતિ પુતિન 7 મંત્રીઓ સાથે ભારત પહોંચ્યા

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે સાંજે બે દિવસના ભારત પ્રવાસે પહોંચ્યા. તેમની સાથે 7 મંત્રીઓનું મોટું પ્રતિનિધિમંડળ પણ આવ્

By Gujaratnow
TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow