જૈન આત્માનંદ સભામાં 1800 જેટલી અલભ્ય હસ્તપ્રતો

જૈન આત્માનંદ સભામાં 1800 જેટલી અલભ્ય હસ્તપ્રતો

ભાવનગરની શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગ દ્વારા ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત ભાવનગરની 127 વર્ષ પહેલાં સ્થાપાયેલ,જૈન આત્માનંદ સભાની મુલાકાત લીધી હતી. હઠીસંગ ઝવેરચંદ વોરાની આર્થિક મદદથી જૈન આત્માનંદ ભૂવનમાં પુસ્તકાલય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. આ પુસ્તકાલયમાં 35 હજાર પુસ્તકો છે. 250 જેટલા પુસ્તકોનું ભાષાંતર આ સંસ્થાએ કર્યું છે. 1800 જેટલી હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતો ત્રણસોથી ચારસો વર્ષ જુની છે.

હસ્તપ્રતો ત્રણસોથી ચારસો વર્ષ જુની
આ સંસ્થાના ટ્રસ્ટીઓ હસમુખભાઈ શાહ, દિવ્યકાન્તભાઈ, હષૅદભાઈ શાહ, બુદ્ધિવધૅનભાઈ સંઘવી, પરેશભાઇ શાહ, સંજયભાઈ, ભરતભાઇ શાહ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થાની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. આ સંસ્થાના પુસ્તકાલયને સમૃદ્ધ કરવામાં ચતુર વિજયજી મ.સા. પુણ્ય વિજયજી મ.સા. જંબુવિજયજી મ.સા. . મુનિભક્તિ વિજય જી મ.સા. લબ્ધિ વિજયજી મ.સા કાંતિ વિજયજી મ.સા. વિજય વલ્લભ સુરીજી મ.સા. હંસ વિજયજી મ.સા. નો બહુમુલ્ય ફાળો રહ્યો છે.

પુસ્તકાલયનો દેશ વિદેશનાં અનેક સંશોધકો અને વાચકોએ લાભ લીધો
આ પુસ્તકાલયનો દેશ વિદેશનાં અનેક સંશોધકો અને વાચકોએ લાભ લીધો છે. આ પ્રોગ્રામ અંગે કોલેજના આચાર્ય ડો.જયવંતસિહ ગોહિલ, ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો.લક્ષમણ વાઢેર, મુલાકાતી અધ્યાપકો પવનકુમાર જાંબુચા, વિજય કંટારિયા, રઘુવીરસિંહ પઢિયાર, દિવ્યજીતસિહ ગોહિલે આપ્યું હતું. આ પુસ્તકાલયમાં શ્રીપાલરાસ પાંચ ભાગમાં છે. આ પુસ્તકનાં પ્રકાશન માટે હર્ષદરાય પ્રા. લિ. એ પાંચ કરોડ રૂપિયાનું દાન આપી હિન્દી, ગુજરાતી ,અંગ્રેજી ભાષામાં ભાષાંતર કર્યું છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow