આવતા વર્ષથી ન્યૂયોર્ક સિટીમાં શાળાઓમાં દિવાળીની જાહેર રજાની શરૂઆત થશે

આવતા વર્ષથી ન્યૂયોર્ક સિટીમાં શાળાઓમાં દિવાળીની જાહેર રજાની શરૂઆત થશે

"પ્રકાશનો ઉત્સવ" તરીકે ઓળખાતા હિંદુ ઉત્સવ દિવાળી માટે, આવતા વર્ષથી ન્યૂયોર્ક સિટીમાં શાળાઓમાં જાહેર રજાની શરૂઆત થશે.

મેયર એરિક એડમ્સે રાજ્યની એસેમ્બલી વુમન જેનિફર રાજકુમાર અને ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશન ચાન્સેલર ડેવિડ બેંક્સની સાથે ગુરુવારે સવારે એક પત્રકાર પરિષદમાં જાહેર શાળાના સમયપત્રકમાં દિવાળીની રજાનો સમાવેશ કરવાની યોજનાની જાહેરાત કરી હતી.

દિવાળીના તહેવારની એનિવર્સરી ડે સાથે અદલાબદલી

પબ્લિક સ્કૂલ કેલેન્ડરમાં દિવાળીના સમાવેશ માટે ધારાસભ્યોએ એનિવર્સરી ડેની અદલાબદલી કરી, જે પરંપરાગત રીતે જૂનના પ્રથમ ગુરુવારે ઉજવવામાં આવે છે. દિવાળી એક મુખ્ય હિંદુ તહેવાર છે પરંતુ કેટલાક બૌદ્ધ, શીખ અને જૈનો દ્વારા પણ ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારોની તારીખમાં વધઘટ થાય છે. આ વર્ષે પાંચ દિવસની રજા 24 ઓક્ટોબરથી શરૂ થશે.

દિવાળીને માન્યતા આપવા માટે કાયદો રજૂ કરનાર રાજકુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "પ્રકાશના તહેવાર દિવાળીની ઉજવણી કરનારા હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મના 200,000થી વધુ ન્યૂયોર્કવાસીઓને ઓળખવાનો સમય આવી ગયો છે." તેણીએ દિવાળીની સરખામણીમાં એનિવર્સરી ડેને "એક અસ્પષ્ટ અને પ્રાચીન દિવસ" ગણાવ્યો, જે "ન્યૂયોર્કવાસીઓની વધતી જતી સંખ્યા" દ્વારા ઉજવવામાં આવે છે.

સ્કૂલ કેલેન્ડરમાં દિવાળીના તહેવારનો થશે સમાવેશ

"લોકોએ જ્યારે કહ્યું હતું કે ન્યૂયોર્ક સિટીના શાળા કેલેન્ડરમાં દિવાળીની શાળાની રજા માટે પૂરતી જગ્યા જ નથી," ત્યારે એસેમ્બલી વુમને કહ્યું. "સારું, મારો કાયદો જગ્યા બનાવે છે." નવા શાળા સમયપત્રકમાં હજુ પણ 180 શાળા દિવસો રહેશે, જે રાજ્યના શિક્ષણ કાયદા દ્વારા જરૂરી છે, રાજકુમારે ઉમેર્યું. એસેમ્બલી વુમને એડમ્સના શાકાહાર અને ધ્યાનની પ્રેક્ટિસને કારણે તેમને "હિંદુ મેયર" તરીકે પણ સંબોધ્યા હતા. કોન્ફરન્સ દરમિયાન, એડમ્સે આ નિર્ણયને હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમુદાયોની લાંબા સમયની માગણીનો સ્વીકાર ગણાવી હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow