આવી રીતે ગોળ બની પૃથ્વી

આવી રીતે ગોળ બની પૃથ્વી
ગ્રેવિટીના કારણે કયાંકથી પીચકી તો કયાંકથી ફૂલાઈ, આકારમાં નિરંતર બદલાવ યથાવત

બધા ગ્રહોની જેમ પૃથ્વીનું નિર્માણ પણ ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ)થી થયું. પથ્થરો અને ધૂળના નાના-નાના કણો એકબીજાને પોતાની તરફ આકર્ષિત કર્યા અને આ કણો મળીને એક મોટા ગોળામાં રુપાંતરિત થઈ ગયા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આજે ધરતીનો જે આકાર છે, તે નિશ્ચિત નથી. ગ્રેવિટીના કારણે હજુ પણ તેની સપાટીમાં બદલાવ આવી રહ્યો છે અને તેના આકારમાં નિરંતર બદલાવ આવી રહ્યો છે. આ ખુલાસો નેચર જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં થયો.

પૃથ્વીની ઉપરની સપાટીમાં હલચલ થઈ રહી છે

ગ્રેવિટીના કારણે પૃથ્વીની ઉપરની સપાટીમાં વધુ પડતી હલચલ જોવા મળી રહી છે અને તેના કારણે પહાડોમાંથી એવા પથ્થર બહાર દેખાઈ રહ્યા છે, જે 24 કિમી અંદર ખૂંપેલા હતા. આ પ્રોસેસથી મેટામોર્ફિક કોર કોમ્પલેક્ષ નામના ઢાંચા બની રહ્યા છે. તેના ફોર્મેશનને સમજવાના પ્રયાસ ઘણીવાર કરવામાં આવી છે પણ દર વખતે અલગ-અલગ પરિભાષાઓ સામે આવી છે. આ કારણોસર તેનું રહસ્ય વધુ ઊંડુ બનતું જાય છે.

અમેરિકાના માઉન્ટેન બેલ્ટ્સ પર સંશોધન

રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોએ બે અમેરિકી શહેરો ફીનિક્સ અને લાસ વેગાસમાં નાશ પામેલી માઉન્ટેન બેલ્ટ્સ પર સંશોધન શરુ કર્યું. કોમ્પ્યુટર મોડેલની મદદથી ખ્યાલ આવ્યો કે, સમયની સાથે-સાથે કેવી રીતે અહીના પ્રાચીન પહાડોનો નાશ થયો. સંશોધકોની માનીએ તો મેટામોર્ફિક ફોર કોમ્પલેક્સ ધરતીની સપાટીના જડ પહોળી થવા અને નબળી પડવા પાછળનું કારણ બને છે.

આ જગ્યાઓ પર કુદરતી આફતો આવવી સામાન્ય

ધરતીની સપાટીની જડોનો નાશ થવું એ કોઈ મોટી આફત આવવાનો સંકેત છે. આ સમય દરમિયાન ધરતીની સપાટી તેની નીચેના ભારે આવરણ (પોપડાની નીચેનું સ્તર)ને દૂર કરે છે અને તેને બદલવાનું શરૂ કરે છે. આ પ્રક્રિયામાં ગરમી, ફ્લુઈડ મૂવમેન્ટ અને પથ્થરો પીગળવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પર્વતના મૂળ નબળા પડવા લાગે છે અને વિખરાઈ જાય છે અને માઉન્ટેન બેલ્ટ્સનો અંત આવવા લાગે છે.  

આવા સ્થળોએ ભૂકંપ જેવી ગંભીર આફતો આવી શકે છે. અહીં પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ અને બહારનું હવામાન પરિવર્તન ધરતીની સપાટીના આવરણને બગાડે છે. વર્ષ 2021માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, આ સંયોજન સસ્તન પ્રાણીઓની જીવનશૈલીને અસર કરે છે. આ સાથે જ તે અંદર હાજર અશ્મિને હલાવી શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow