આસો-કારતક મહિનાનું મહત્ત્વ

આસો-કારતક મહિનાનું મહત્ત્વ

આસો અને કારતક મહિનાને તિથિ-તહેવારની દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મહિનાઓમાં પુષ્ય નક્ષત્ર, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ, છઠ્ઠ પૂજા, દેવઊઠી એકાદશી જેવા મોટા તિથિ-તહેવાર આવે છે. આ મહિનાઓમાં ગણેશજી, વિષ્ણુ-લક્ષ્મી, ધનવંતરિ, ગોવર્ધન પર્વત, છઠ્ઠ માતા, સૂર્યદેવ સાથે જ કાર્તિકેય સ્વામીની પણ પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ બંને મહિના દરમિયાન રોજ સવારે જલ્દી જાગવું જોઈએ. આ દિવસોમાં નદી સ્નાન કરવાની પરંપરા છે. ઘણાં લોકો નદીમાં દીપદાન પણ કરે છે. દિવાળી પછી એટલે કે 26 ઓક્ટોબરથી કારતક મહિનો શરૂ થઈ જશે. આ મહિનાનું નામ કાર્તિકેય સ્વામીના નામ પરથી પડ્યું છે.

શિવ-પાર્વતીના લગ્ન પછી કાર્તિકેય સ્વામીનો જન્મ થયો. પછી કાર્તિકેય સ્વામીએ જન્મના થોડા સમય પછી જ તારકાસુરનો વધ કરી દીધો હતો. તે સમયે કારતક મહિનો ચાલી રહ્યો હતો. તારકાસુરનો વધ કર્યા પછી શિવ-પાર્વતી કાર્તિકેય સ્વામીથી ખૂબ જ પ્રસન્ન થયાં. શિવજીએ પ્રસન્ન થઈને આ મહિનાનું નામ કારતક રાખ્યું. આ મહિનામાં સ્વામી કાર્તિકેયની પૂજા ખાસ કરવી જોઈએ. આ સમયગાળામાં કરવામાં આવતા પૂજા-પાઠથી અક્ષય પુણ્ય મળે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow