આસો-કારતક મહિનાનું મહત્ત્વ

આસો-કારતક મહિનાનું મહત્ત્વ

આસો અને કારતક મહિનાને તિથિ-તહેવારની દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મહિનાઓમાં પુષ્ય નક્ષત્ર, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ, છઠ્ઠ પૂજા, દેવઊઠી એકાદશી જેવા મોટા તિથિ-તહેવાર આવે છે. આ મહિનાઓમાં ગણેશજી, વિષ્ણુ-લક્ષ્મી, ધનવંતરિ, ગોવર્ધન પર્વત, છઠ્ઠ માતા, સૂર્યદેવ સાથે જ કાર્તિકેય સ્વામીની પણ પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ બંને મહિના દરમિયાન રોજ સવારે જલ્દી જાગવું જોઈએ. આ દિવસોમાં નદી સ્નાન કરવાની પરંપરા છે. ઘણાં લોકો નદીમાં દીપદાન પણ કરે છે. દિવાળી પછી એટલે કે 26 ઓક્ટોબરથી કારતક મહિનો શરૂ થઈ જશે. આ મહિનાનું નામ કાર્તિકેય સ્વામીના નામ પરથી પડ્યું છે.

શિવ-પાર્વતીના લગ્ન પછી કાર્તિકેય સ્વામીનો જન્મ થયો. પછી કાર્તિકેય સ્વામીએ જન્મના થોડા સમય પછી જ તારકાસુરનો વધ કરી દીધો હતો. તે સમયે કારતક મહિનો ચાલી રહ્યો હતો. તારકાસુરનો વધ કર્યા પછી શિવ-પાર્વતી કાર્તિકેય સ્વામીથી ખૂબ જ પ્રસન્ન થયાં. શિવજીએ પ્રસન્ન થઈને આ મહિનાનું નામ કારતક રાખ્યું. આ મહિનામાં સ્વામી કાર્તિકેયની પૂજા ખાસ કરવી જોઈએ. આ સમયગાળામાં કરવામાં આવતા પૂજા-પાઠથી અક્ષય પુણ્ય મળે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow