આસો-કારતક મહિનાનું મહત્ત્વ

આસો-કારતક મહિનાનું મહત્ત્વ

આસો અને કારતક મહિનાને તિથિ-તહેવારની દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મહિનાઓમાં પુષ્ય નક્ષત્ર, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ, છઠ્ઠ પૂજા, દેવઊઠી એકાદશી જેવા મોટા તિથિ-તહેવાર આવે છે. આ મહિનાઓમાં ગણેશજી, વિષ્ણુ-લક્ષ્મી, ધનવંતરિ, ગોવર્ધન પર્વત, છઠ્ઠ માતા, સૂર્યદેવ સાથે જ કાર્તિકેય સ્વામીની પણ પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ બંને મહિના દરમિયાન રોજ સવારે જલ્દી જાગવું જોઈએ. આ દિવસોમાં નદી સ્નાન કરવાની પરંપરા છે. ઘણાં લોકો નદીમાં દીપદાન પણ કરે છે. દિવાળી પછી એટલે કે 26 ઓક્ટોબરથી કારતક મહિનો શરૂ થઈ જશે. આ મહિનાનું નામ કાર્તિકેય સ્વામીના નામ પરથી પડ્યું છે.

શિવ-પાર્વતીના લગ્ન પછી કાર્તિકેય સ્વામીનો જન્મ થયો. પછી કાર્તિકેય સ્વામીએ જન્મના થોડા સમય પછી જ તારકાસુરનો વધ કરી દીધો હતો. તે સમયે કારતક મહિનો ચાલી રહ્યો હતો. તારકાસુરનો વધ કર્યા પછી શિવ-પાર્વતી કાર્તિકેય સ્વામીથી ખૂબ જ પ્રસન્ન થયાં. શિવજીએ પ્રસન્ન થઈને આ મહિનાનું નામ કારતક રાખ્યું. આ મહિનામાં સ્વામી કાર્તિકેયની પૂજા ખાસ કરવી જોઈએ. આ સમયગાળામાં કરવામાં આવતા પૂજા-પાઠથી અક્ષય પુણ્ય મળે છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow