આખો દિવસ વ્રત કરી સૂર્યાસ્ત પછી મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરો

આખો દિવસ વ્રત કરી સૂર્યાસ્ત પછી મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરો

આજે આસો મહિનાના વદ પક્ષની એકાદશી છે, જેને રમા એકાદશી કહેવામાં આવે છે. દિવાળી (24 ઓક્ટોબર) પહેલાં આવતી આ એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, કેમ કે આ દિવસે વિષ્ણુજી સાથે મહાલક્ષ્મીની પણ ખાસ પૂજા કરવામાં આવે છે. દીપોત્સવ માટે રમા એકાદશીથી ઘણાં લોકો પોત-પોતાના ઘરની બહાર દીવો પ્રગટાવવાનું શરૂ કરી દે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે એકાદશીએ વિષ્ણુજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે, પરંતુ રમા એકાદશીએ લક્ષ્મી પૂજા કરવી જોઈએ, રમા લક્ષ્મીજીનું જ એક નામ છે. શુક્રવારે એકાદશી હોવાથી આ દિવસે શુક્ર ગ્રહ માટે પણ ખાસ પૂજા કરવી.

સૂર્યાસ્ત પછી પૂજા કરો

સવારની પૂજા પછી અને સાંજે પણ ઉપર જણાવેલી વિધિ દ્વારા પૂજા કરવી જોઈએ. લક્ષ્મી-વિષ્ણુની પૂજા પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો, ચૂંદડી ઓઢાળવી. બીજા દિવસે એટલે શનિવારે ફરીથી પૂજા કરો અને પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. તે પછી તમે જાતે ભોજન કરો. આ પ્રકારે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે.

એકાદશીના દિવસે શિવજીની પૂજા કરો

કુંડળીમાં શુક્ર ગ્રહને લગતા દોષ હોય તો શુક્રવારે શિવજીની પૂજા કરવી જોઈએ. શિવપૂજાથી શુક્ર ગ્રહના દોષ દૂર થઈ શકે છે. આ દિવસે શિવદીની પણ ખાસ પૂજા કરવી જોઈએ. શિવલિંગ ઉપર જળ ચઢાવવું અને ચાંદીના લોટાથી દૂધ અર્પણ કરવું. તે પછી ફરી જળ ચઢાવવું. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવલિંગ ઉપર બીલીપાન, આંકડાના ફૂલ, ધતૂરો ચઢાવવો. ચંદનનું તિલક કરવું. મીઠાઈનો ભોગ ધરાવવો અને ધૂપ-દીપ પ્રગટાવો. શિવલિંગ સામે બેસીને શિવજીના મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો. પૂજાના અંતમાં માફી માગો. પ્રસાદ વહેંચો અને તમે પણ લો.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow