પોલેન્ડનો યુવાન સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપી વિદ્વાનોને ભારત દેશની યાત્રાએ લાવે છે

પોલેન્ડનો યુવાન સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપી વિદ્વાનોને ભારત દેશની યાત્રાએ લાવે છે

નામ એનું ફિલીપ રૂચિન્સ્કી, પણ પોતાને શિવાનંદ નામથી ઓળખાવવાનું વધુ ગમે છે. પોલેન્ડનો આ 46 વર્ષિય યુવાન સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિ.માં રીસર્ચ ફેલો રહ્યો છે. તો બનારસ હિન્દુ યુનિ.માં પોલીશ ભાષાનો ગેસ્ટ લેક્ચરર પણ રહ્યો. તેણે સૌપ્રથમ પોલેન્ડની વોર્સો યુનિ.માં ઓરિએન્ટલ સ્ટડીઝમાં પીએચડી પણ કર્યું છે. શિવાનંદને એક અનોખો શોખ વળગ્યો છે. ભારતીય સંસ્કૃતિ, યોગ દર્શન, સંસ્કૃત, કલા, વગેરેનો પ્રસાર-પ્રચાર કરવાનો. આ માટે તે પોલેન્ડમાં અવારનવાર કાર્યશિબિર, વર્કશોપ વગેરે પણ યોજે છે. જે હાલ પોલીશ વિદ્વાનોના ગૃપ સાથે જૂનાગઢની મુલાકાતે છે.

જૂનાગઢ ખાતે શિવાનંદે જણાવ્યું કે, પોતે ત્યાંના રીસર્ચ ફેલો, પ્રોફેસરો, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા એવા લોકો સાથે અવારનવાર ભારતની યાત્રાનું આયોજન કરે છે જેમને ભારતીય સંસ્કૃતિ, કલા, સાહિત્ય, યોગ, ઇત્યાદિમાં રૂચિ હોય. સાથે તેઓનું નૈતિક જીવનધોરણ અને મૂલ્યો ઉચ્ચ કક્ષાનાં હોય. જેઓ મોજમજા માટે નહીં, કાંઇક મેળવવા-શીખવા અહીં આવતા હોય. તો ઘણીવાર અહીંની પ્રતિભાઓને પણ ત્યાં લેક્ચર, યોગના વર્કશોપ સહિતના કાર્યક્રમો માટે બોલાવે છે. તેમની સાથે કાશીનાં મહેન્દ્રનાથ ત્રિપાઠી સહિતના ભારતીયો પણ ગાઇડ તરીકે જોડાયા છે. જૂનાગઢમાં તેઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઇતિહાસ વિભાગનાં વડા પ્રો. ડો. વિશાલ જોષી સાથે વિવિધ સ્થળોની મુલાકાતે ગયા હતા. જેમાં તેઓને ગિરનાર, ભવનાથનો મેળો, મ્યૂઝિયમ, સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. હાલ તેઓનાં ગૃપે જવાહર રોડ સ્થિત સ્વામી મંદિરમાં મુકામ કર્યો છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow