ગંજીવાડાનો યુવાન, કોઠારિયા રોડ પર પરિણીતાએ ફાંસો ખાધો

ગંજીવાડાનો યુવાન, કોઠારિયા રોડ પર પરિણીતાએ ફાંસો ખાધો

શહેરના ગંજીવાડા-40માં રહેતા જયેશ ધીરૂભાઇ સાપરા નામના યુવાને તેના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા થોરાળા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં ઘરે જ વેક્સનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. કારીગર જમવા જવાનું કહીને નીકળ્યા બાદ ઘરમાં એકલા રહેલા જયેશે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. જયેશના પિતા અને ભાઇનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જયારે જયેશની બે બહેનોએ પણ આપઘાત કરી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બનાવ સમયે જયેશની માતા કામે ગયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

આપઘાતના અન્ય બે બનાવમાં કોઠારિયા રોડ, જયનગર પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતી સાયકુ અજય બેદિયા નામની પરિણીતાએ તેના ઘર નજીક ઝાડ પર દોરડું બાંધી ફાંસો ખાઇ મોત વહાલું કર્યું હતું. જ્યારે વિનોદનગર ક્વાર્ટરમાં રહેતા કિશોરભાઇ ગોહેલ નામના વૃદ્ધે તેમના ઘરે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે.

અન્ય બનાવમાં કોઠારિયા પાસે સાંઇબાબા સર્કલ પાસેથી પસાર થયેલી ટ્રકે ડબલસવારી બાઇકને ટક્કર મારતા બાઇક પાછળ બેઠેલી મૂળ મધ્યપ્રદેશની સુની ધનસીંગ ભાભર નામની મહિલા રોડ પર પટકાયા બાદ ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતક પતિ સાથે મજૂરીકામ કરતી હતી. દંપતી જે સાઇટ પર કામ કરતા હતા તે દિલીપભાઇને તેમની અન્ય સાઇટ પર મજૂરની જરૂર હોય સુનીબેનને બાઇકમાં બેસાડી રણુજા મંદિરથી ગુલાબનગર જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow