Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
suicide

ગંજીવાડાનો યુવાન, કોઠારિયા રોડ પર પરિણીતાએ ફાંસો ખાધો

Gujaratnow2 min read
ગંજીવાડાનો યુવાન, કોઠારિયા રોડ પર પરિણીતાએ ફાંસો ખાધો

શહેરના ગંજીવાડા-40માં રહેતા જયેશ ધીરૂભાઇ સાપરા નામના યુવાને તેના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા થોરાળા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં ઘરે જ વેક્સનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. કારીગર જમવા જવાનું કહીને નીકળ્યા બાદ ઘરમાં એકલા રહેલા જયેશે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. જયેશના પિતા અને ભાઇનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જયારે જયેશની બે બહેનોએ પણ આપઘાત કરી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બનાવ સમયે જયેશની માતા કામે ગયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

આપઘાતના અન્ય બે બનાવમાં કોઠારિયા રોડ, જયનગર પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતી સાયકુ અજય બેદિયા નામની પરિણીતાએ તેના ઘર નજીક ઝાડ પર દોરડું બાંધી ફાંસો ખાઇ મોત વહાલું કર્યું હતું. જ્યારે વિનોદનગર ક્વાર્ટરમાં રહેતા કિશોરભાઇ ગોહેલ નામના વૃદ્ધે તેમના ઘરે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે.

અન્ય બનાવમાં કોઠારિયા પાસે સાંઇબાબા સર્કલ પાસેથી પસાર થયેલી ટ્રકે ડબલસવારી બાઇકને ટક્કર મારતા બાઇક પાછળ બેઠેલી મૂળ મધ્યપ્રદેશની સુની ધનસીંગ ભાભર નામની મહિલા રોડ પર પટકાયા બાદ ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતક પતિ સાથે મજૂરીકામ કરતી હતી. દંપતી જે સાઇટ પર કામ કરતા હતા તે દિલીપભાઇને તેમની અન્ય સાઇટ પર મજૂરની જરૂર હોય સુનીબેનને બાઇકમાં બેસાડી રણુજા મંદિરથી ગુલાબનગર જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Gujaratnow2 min read

Related News