કુવાડવા રોડ પર કારની ઠોકરે યુવકનું મોત, પિતરાઇને ઇજા

કુવાડવા રોડ પર કારની ઠોકરે યુવકનું મોત, પિતરાઇને ઇજા

શહેરની ભાગોળે નવાગામમાં રહેતો 18 વર્ષનો યુવક અને તેનો સગીરવયનો પિતરાઇ બપોરે બાઇકમાં આંટો મારવા ગયા હતા અને પરત ફરતા હતા ત્યારે કુવાડવા રોડ પર ધસી આવેલી કારે બાઇકને ઉલાળ્યું હતું, અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતરાઇને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

નવાગામમાં આવેલા મઢ નજીક રહેતો ગોપાલ પ્રવીણભાઇ વાટિયા (ઉ.વ.18) અને પાડોશમાં જ રહેતો તેનો પિતરાઇ ઉદય રાજેશભાઇ વાટિયા (ઉ.વ.17) રવિવારે બપોરે બાઇકમાં આંટો મારવા નીકળ્યા હતા, થોડે સુધી બાઇકસવારીનો આનંદ માણી બંને ભાઇ ઘર તરફ પરત ફરી રહ્યા હતા અને બાઇક ગોપાલ ચલાવતો હતો ત્યારે કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાસે પાછળથી ધસી આવેલી કારે બાઇકને ઉલાળ્યું હતું. કારની ઠોકરથી બંને ભાઇ રસ્તા પર ફંગોળાયા હતા,

અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો, ઘટનાને પગલે ટોળે વળેલા લોકોએ બંનેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગોપાલ વાટિયાનું મોત નીપજ્યું હતું, જ્યારે ઉદયની હાલત પણ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગોપાલ બે ભાઇમાં મોટો હતો અને પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો, પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow