રાજકોટમાં નશો કરવાના મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો આપઘાત

રાજકોટમાં નશો કરવાના મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો આપઘાત

ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા નનકા શિરડીભાઇ સરોજે (ઉ.વ.35) ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશનો વતની નનકા સરોજે કારખાનામાં મજૂરીકામ કરતો હતો અને તેને નશો કરવાની કુટેવ હતી. નશો કરવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં તે બાબતનું માઠું લાગી આવતા તેણે પગલું ભરી લીધું હતું. યુવકના આપઘાતથી તેના ચાર સંતાનોએ પિતાની હૂંફ ગુમાવી હતી.

અન્ય એક બનાવમાં પેડક રોડ પર પાણીના ઘોડા પાસેના ચંપકનગરમાં રહેતા દેવજીભાઇ આંબાભાઇ ટોપિયા (ઉ.વ.72)એ પોતાના ઘરે છતના હૂકમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવજીભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બીમારીથી કંટાળી વૃદ્ધે પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow