રાજકોટમાં નશો કરવાના મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો આપઘાત

રાજકોટમાં નશો કરવાના મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો આપઘાત

ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા નનકા શિરડીભાઇ સરોજે (ઉ.વ.35) ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશનો વતની નનકા સરોજે કારખાનામાં મજૂરીકામ કરતો હતો અને તેને નશો કરવાની કુટેવ હતી. નશો કરવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં તે બાબતનું માઠું લાગી આવતા તેણે પગલું ભરી લીધું હતું. યુવકના આપઘાતથી તેના ચાર સંતાનોએ પિતાની હૂંફ ગુમાવી હતી.

અન્ય એક બનાવમાં પેડક રોડ પર પાણીના ઘોડા પાસેના ચંપકનગરમાં રહેતા દેવજીભાઇ આંબાભાઇ ટોપિયા (ઉ.વ.72)એ પોતાના ઘરે છતના હૂકમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવજીભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બીમારીથી કંટાળી વૃદ્ધે પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow