સાસરિયાઓ સાથે સમાધાન માટે ગયેલી પરિણીતાને માર માર્યો

સાસરિયાઓ સાથે સમાધાન માટે ગયેલી પરિણીતાને માર માર્યો

શહેરના કોઠારિયા રોડ, દેવપરા શાકમાર્કેટ પાસે રહેતી રતન અજય ચારોલિયા નામની પરિણીતાને ડેરોઇ ગામે રહેતા પતિ અજય, સસરા દિનેશભાઇ તળશીભાઇ ચારોલિયા, સાસુ માવુબેન અને મામાજી કાળુભાઇ તળશીભાઇ સાડમીયાએ પાઇપથી હુમલો કરી માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.

ઇજાગ્રસ્ત પરિણીતાની પૂછપરછમાં તેને બે સંતાન છે. ડેરોઇ ગામે રહેતા પતિ અજય કંઇ કામધંધો કરતા ન હોય બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હોય પોતે સાત મહિના પૂર્વે રાજકોટ સંતાનોને લઇ માવતરે આવી ગઇ હતી. દરમિયાન રવિવારે સાસરિયાઓ સાથે સમાધાન માટે ડેરોઇ ગામે બંનેના પરિવારજનો ભેગા થયા હતા. આ સમયે બોલાચાલી થતા સાસુ-સસરા, પતિ અને મામાજીએ ઉશ્કેરાય જઇને પાઇપનો ઘા માથામાં ફટકારી માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow