રાજકોટમાં 22 નવા કેસ સામે એકસાથે 36 ડિસ્ચાર્જ કરાયા

રાજકોટમાં 22 નવા કેસ સામે એકસાથે 36 ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. શુક્રવારે એક જ દિવસમાં 22 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે, એક જ દિવસમાં 36 દર્દીઓને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંક 144 થયો છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 102 છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા કેસ આવવાની ગતિ બે સપ્તાહમાં ખૂબ વધી છે અને ડબલિંગ રેટ એટલે કે કેસ બમણા થવાનો ગાળો ઘટીને 5 દિવસ થઈ ગયો છે.

શુક્રવારે જે નવા કેસ આવ્યા છે તેમાં મોટાભાગના છૂટાછવાયા વિસ્તારના છે અને તમામની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી તેમજ રસીના ડોઝ લીધેલા છે અને હોમ આઈસોલેટ છે તેમજ એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધીમાં જે પણ કેસ આવ્યા છે તેમાંથી સિવિલ હોસ્પિટલમાં 3 જ્યારે ખાનગી હોસ્પિટલમાં બે દર્દી દાખલ અને એક ગંભીર હોવાથી વેન્ટિલેટર પર છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow