Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🪙 Business

જર્મન કંપની બાયર ક્રોપ સાયન્સનો સરવે

Gujaratnow1 min read
જર્મન કંપની બાયર ક્રોપ સાયન્સનો સરવે

દેશમાં નાના ખેડૂતો માટે ખાતર અને મજૂરીનો ઉચ્ચ ખર્ચ સૌથી મોટો પડકાર છે. એક સરવેમાં 55% ખેડૂતોએ કહ્યું કે મોંઘું ખાતર ત્રણ મોટા પડકારોમાંથી એક છે. મોંઘી વીજળી (47%), અસ્થિર આવક (37%) અને પાકની સુરક્ષાનો ખર્ચ (36%) અન્ય પડકારો છે. જર્મનીની એગ્રી સાયન્સ કંપની બાયર ક્રોપસાયન્સે 2,056 નાના ભારતીય ખેડૂતો પર એક સરવે કર્યો છે. તેમાં 42% ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી છે કે બદલાતા મોસમથી ઉપજમાં ઘટાડો થશે.

બાયરે આ સરવે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચીન, જર્મની, ભારત, કેન્યા, યુક્રેન અને અમેરિકાની મોટી અને નાની જમીન ધરાવતા ખેડૂતો પર કર્યો છે. દર 10માંથી 8 ખેડૂતોને શ્રેષ્ઠ ભવિષ્યની આશા: સરવેમાં સામેલ 60% ભારતીય ખેડૂતોએ કહ્યું કે ડિજિટલ ટેક્નોલોજી અને આધુનિક રીતે પાકની સુરક્ષાથી સૌથી વધુ ફાયદો થશે. બાયર અનુસાર ભારતના નાના ખેડૂતો આશાવાદી વલણ ધરાવે છે. દર 10માંથી 8 ખેડૂતો ભવિષ્યને લઇને સકારાત્મક છે.

Gujaratnow1 min read

Related News