યમનમાં ચેરિટી ઇવેન્ટમાં નાસભાગ

યમનમાં ચેરિટી ઇવેન્ટમાં નાસભાગ

યમનની રાજધાની સનામાં રમઝાન મહિનાના છેલ્લા દિવસે જકાત એટલે કે આર્થિક સહાયના વિતરણના કાર્યક્રમમાં નાસભાગ મચી જવાને કારણે 85થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 322થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 13ની હાલત ગંભીર છે. હૂતિ સેનાના ગૃહમંત્રાલયે કહ્યું કે, જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્રની મદદ વિના ત્યાંના વેપારીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગરીબ લોકોએ ભાગ લીધો હતો.

હૂતિ સૈનિકોએ ભીડને કાબૂમાં લેવા હવામાં ગોળીબાર કર્યો, જેના કારણે પાવર લાઇનમાં વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટથી ગભરાઈ ગયેલા લોકો આમ-તેમ દોડવા લાગ્યા અને એકબીજાને કચડતા ગયા. બે દિવસ પછી જ ઈદ આવવાની છે, જેને ધ્યાનમાં રાખીને લોકોને આ આર્થિક મદદ આપવામાં આવી રહી છે.

Read more

ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી

ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ઇંગ્લેન્ડના પ્રખ્યાત ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડની મુલાકાત લીધી હતી. અહીં ભારતીય ક્રિકેટરો

By Gujaratnow
ઈલોન મસ્કની કંપની બાળકો માટે એક એપ લોન્ચ કરશે

ઈલોન મસ્કની કંપની બાળકો માટે એક એપ લોન્ચ કરશે

ઈલોન મસ્કની કંપની xAI હવે બાળકો માટે એક સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી AI એપ લાવવાની તૈયારી કરી રહી છે. મસ્કે રવિવારે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમા

By Gujaratnow
જયશંકરે કહ્યું- મેં ઈમરજન્સીના છેલ્લા દિવસે UPSC ઇન્ટરવ્યુ આપ્યો

જયશંકરે કહ્યું- મેં ઈમરજન્સીના છેલ્લા દિવસે UPSC ઇન્ટરવ્યુ આપ્યો

વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે તેમના UPSC ઇન્ટરવ્યુની વાર્તા વર્ણવી. તેમણે કહ્યું કે તેમનો UPSC ઇન્ટરવ્યુ 21 માર્ચ 1977ના રોજ યોજાયો હતો, જે દિવસે દે

By Gujaratnow