રાજકોટ યુનિવર્સિટીમાં સેનેટની મિટિંગ મળી

રાજકોટ યુનિવર્સિટીમાં સેનેટની મિટિંગ મળી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રવિવારે અગાઉથી એજન્ડા જાહેર કર્યા વિનાની સેનેટની બેઠક મળી હતી. સવારે 11.30 કલાકે મળેલી સેનેટની બેઠકમાં સૌથી વધુ ચર્ચા યુનિવર્સિટીના ભવનના હેડના રોટેશનની થઇ હતી. સત્તાધીશોએ અગાઉથી સ્ટેચ્યુટમાં બદલાવ કર્યા વિના જ સીધા સેનેટમાં મંજૂરી માટે આ મુદ્દો મુકાયો હતો જેનો કેટલાક સભ્યોએ વિરોધ કરતા હેડશિપ રોટેશનની હિલચાલ ફેલ રહી હતી અને ભવનોમાં હેડશિપ બદલવાનો નિર્ણય સિન્ડિકેટમાં રીફરબેક કર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓના એનરોલમેન્ટની જવાબદારી જે-તે કોલેજોના આચાર્યની હોવાનો નિર્ણય પણ સેનેટમાં રજૂ કરાયો હતો જેમાં પણ આચાર્યોએ વિરોધ કરતા આ નિર્ણય પણ મોકૂફ રહ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ ધીમે ધીમે સ્ટેચ્યુટને બદલે ઘરની ધોરાજી ચલાવવાનું શરૂ કર્યું હોય એમ રવિવારે અગાઉથી સ્ટેચ્યુટમાં ફેરફાર કર્યા વિના સીધો જ હેડશિપ રોટેશનનો નિર્ણય સેનેટમાં મુકાતા વિવાદ થયો હતો. આ મુદ્દે સભ્યો વચ્ચે રકઝક પણ થઇ હતી. જો કે અંતે કુલપતિ સહિતનાઓએ આ નિર્ણય મોકૂફ રાખ્યો હતો. બીજી બાજુ નવા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટમાં કોઈ ક્ષતિ રહી જાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોલેજોની રહેશે તેવો પણ એક ઓર્ડિનન્સ રજૂ કર્યો હતો તેમાં પણ યુનિવર્સિટીએ પોતાની જવાબદારી ખંખેરી લેતા આચાર્યોએ વિરોધ કર્યો હતો.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow