ગળામાં ખેસ અને માથે ટોપી: ઓફિસમાં કળશ પૂજા કરતા આમિર ખાન કેમેરામાં કેદ, Ex પત્ની પણ હાજર

ગળામાં ખેસ અને માથે ટોપી: ઓફિસમાં કળશ પૂજા કરતા આમિર ખાન કેમેરામાં કેદ, Ex પત્ની પણ હાજર

આમિર ખાને કરી પૂજા

સોશિયલ મીડિયામાં આમિરની નવી તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેઓ પોતાની કંપની, આમિર ખાન પ્રોડક્શન્સની ઑફિસમાં પૂજા કરતા દેખાઈ રહ્યાં છે. લાલ સિંહ ચડ્ઢાના ડાયરેક્ટર અદ્વૈત ચંદને ઈન્સ્ટાગ્રામ પર પૂજાની તસ્વીરો શેર કરી. જેમાં આમિર કળશ પૂજન કરી રહ્યાં છે. પૂજા બાદ તેઓ આરતી પણ કરી રહ્યાં છે અને તેમાં તેમની સાથે તેમની પૂર્વ પત્ની કિરણ રાવ પણ છે.

આમિર ખાન અથવા શક્તિ કપૂર?

આ તસ્વીરોમાં આમિરના વાળ, દાઢી અને મૂંછ બધુ વ્હાઈટ દેખાઈ રહ્યું છે. પૂજા કરતી વખતે આમિરે એક નહેરૂ ટોપી પહેરી છે અને ગળામાં ખેસ પહેર્યો છે. સોશિયલ મીડિયામાં આમિરના આ ઑલ-ગ્રે લુક પર જનતાની કોમેન્ટ્સ ખૂબ રસપ્રદ છે. એક યુઝરે લખ્યું, મેં નામ નહોતુ વાંચ્યુ અને મને લાગ્યુ કે શક્તિ કપૂર છે. તો બીજા એક યુઝરને સાઉથના અભિનેતા જગપતિ બાબૂની યાદ આવી ગઇ છે. જેનો લુક આવો છે. બીજા એક યુઝરે લખ્યું, ભાઈ આ તો સાઉથ એક્ટર જગપતિ બાબૂ જેવા લાગી રહ્યાં છે.

એક્ટિંગથી બ્રેક પર છે આમિર

અદ્વૈત ચંદને પોતાની પોસ્ટમાં એવુ જણાવ્યું નથી કે આમિર ખાન પ્રોડક્શન્સની ઑફિસ પર આ કઈ વસ્તુ માટે પૂજા રાખવામાં આવી. પરંતુ તસ્વીરોમાં બધા ખૂબ ખુશ જોવા મળી રહ્યાં છે. આમિરની વાત કરીએ તો તેમણે થોડા દિવસ પહેલા કહ્યું છે ક તેઓ એક્ટિંગમાંથી બ્રેક લઇ રહ્યાં છે. તેમણે કહ્યું છે કે હવે તેઓ એક-દોઢ વર્ષ બાદ એક્ટિંગમાં આવશે. જો કે, આ દરમ્યાન તેઓ પ્રોડ્યુસર તરીકે પૂરી રીતે સક્રિય રહેશે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow